Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 45
________________ ૩૦ કપૂર મહેક-૭ તો પણ મુજથી મંદ મતિ, તેહ તણે હિતકાજ. તેમજ સ્વહિત કારણે, ચિદાનંદ મહારાજ. ૪ કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળ ઉદાર; તાસ વિવરણ કરવા ભણી, આત્મ થયો ઉજમાળ. ૫ બુદ્ધિવિકળ પણ ભક્તિવશ, બોલું સુખકર બોલ; કાલું બોલે બાળ જે, કુણ આવે તસ તોલ. ૬ મંગલાચરણ-દોહા પરમ જ્યોતિ પરમાતમા, પરમાનંદ અનૂપ; નમો સિદ્ધ સુખકર સદા, કલાતીત ચિરૂપ. ૧ પંચમહાવ્રત આદરત, પાળત પંચાચાર; સમતારસ સાયર સદા, સત્તાવીશ ગુણધાર. ૨ તો પણ જેઓ મારાથી વધારે મંદ બુદ્ધિવાળા છે, તેઓના હિતને માટે તેમજ સ્વહિતને માટે ચિદાનંદજી મહારાજની કૃતિ જોઈ, અને તેઓની વિશાળ ઉત્તરમાળ જોઈ, તેનું વિવરણ કરવા માટે મારો આત્મા ઉજમાળ થયેલ છે. ૪-૫ હું બુદ્ધિ વગરનો છું, છતાં ભક્તિના વશથી સુખ કરનારા એવા બોલોને બોલું છું. બાળક જે કાલું કાલું બોલે તેની તોલે કોણ આવે ? ૬ (આ કોઈ વિવરણકારનું પ્રસ્તાવનારૂપ મંગલાચરણ છે. મૂળગ્રંથ તો હવે પછી શરૂ થાય છે.) મંગલાચરણ દોહા-અર્થ પરમાત્મા પરમજયોતિર્મય છે, પરમ આનંદસ્વરૂપ છે, કોઈની સાથે તેમને ઉપમા આપી શકાય તેમ નથી, જેઓ સર્વ કળાઓનો પાર પામેલા છે, સુખ કરનારા છે, અને જ્ઞાનસ્વરૂપ છે, તે શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો. ૧ જેઓ પાંચ મહાવ્રતોને આદરે છે, જ્ઞાનાચાર આદિ પાંચ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116