________________
૨૮
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
ઠોર ઠોર જ્ઞાતાવૃંદમે પ્રકાશ કીજીયે; પર ઉપકાર ગુણવંત વિનતિ હમારી, હિરદેમેં ધાર યાકું થિર કરી દીજીયે; ‘ચિદાનંદ' કેવે અરુ સુણકો સાર એહિ, જિન આણા ધાર નરભવ લાહો લીજીયે. પર
શ્રી ચિદાનંદજી કત પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ (પ્રસ્તાવના) ચિદાનંદ પદકજ નમી, ચિદાનંદ સુખદેવ; ચિદાનંદ સુખમાં સદા, મગન કરે તતખેવ. ૧ ચિદાનંદ પ્રભુની કળા, કેવળબીજ અનપાય; જાણે કેવળ અનુભવી, કિણથી કહી ન જાય. ૨ ચિદાનંદ પ્રભુની કૃતિ, અર્થ ગંભીર અપાર;
મંદમતિ હું તેહનો, પાર ન લહું નિરધાર. ૩ અને શ્રી ચિદાનંદજી કહે છે કે : “આ સાંભળવાનો સાર એ જ છે કે “શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને ધારણ કરી આ મનુષ્યજન્મ મળ્યાનો લહાવો લઈએ.” પર
ઈતિ શ્રી ચિદાનંદજી કૃત સવૈયા સમાપ્ત.
પ્રશ્નોત્તરરત્નમાળા-અર્થ શ્રી ચિદાનંદજી મહારાજના ચરણકમળને નમીને જ્ઞાન અને આનંદ(ચારિત્ર)ના સુખનો હેતુ છે, જે જ્ઞાન અને ચારિત્રના સુખમાં સદા મગ્ન કરે છે, તે ચિદાનંદ પ્રભુની કળા જે કેવળજ્ઞાનનું વિધ્વરહિત બીજ છે, જે કેવળ અનુભવી જ જાણે, તે કોઈથી કહી શકાય તેવી નથી. ૧-૨
ચિદાનંદપ્રભુની કૃતિ ઘણી અર્થથી ગંભીર છે, મંદબુદ્ધિવાળો હું તેનો નિશ્ચ પાર પામી શકું તેમ નથી. ૩