SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કપૂર મહેક-૭ તો પણ મુજથી મંદ મતિ, તેહ તણે હિતકાજ. તેમજ સ્વહિત કારણે, ચિદાનંદ મહારાજ. ૪ કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળ ઉદાર; તાસ વિવરણ કરવા ભણી, આત્મ થયો ઉજમાળ. ૫ બુદ્ધિવિકળ પણ ભક્તિવશ, બોલું સુખકર બોલ; કાલું બોલે બાળ જે, કુણ આવે તસ તોલ. ૬ મંગલાચરણ-દોહા પરમ જ્યોતિ પરમાતમા, પરમાનંદ અનૂપ; નમો સિદ્ધ સુખકર સદા, કલાતીત ચિરૂપ. ૧ પંચમહાવ્રત આદરત, પાળત પંચાચાર; સમતારસ સાયર સદા, સત્તાવીશ ગુણધાર. ૨ તો પણ જેઓ મારાથી વધારે મંદ બુદ્ધિવાળા છે, તેઓના હિતને માટે તેમજ સ્વહિતને માટે ચિદાનંદજી મહારાજની કૃતિ જોઈ, અને તેઓની વિશાળ ઉત્તરમાળ જોઈ, તેનું વિવરણ કરવા માટે મારો આત્મા ઉજમાળ થયેલ છે. ૪-૫ હું બુદ્ધિ વગરનો છું, છતાં ભક્તિના વશથી સુખ કરનારા એવા બોલોને બોલું છું. બાળક જે કાલું કાલું બોલે તેની તોલે કોણ આવે ? ૬ (આ કોઈ વિવરણકારનું પ્રસ્તાવનારૂપ મંગલાચરણ છે. મૂળગ્રંથ તો હવે પછી શરૂ થાય છે.) મંગલાચરણ દોહા-અર્થ પરમાત્મા પરમજયોતિર્મય છે, પરમ આનંદસ્વરૂપ છે, કોઈની સાથે તેમને ઉપમા આપી શકાય તેમ નથી, જેઓ સર્વ કળાઓનો પાર પામેલા છે, સુખ કરનારા છે, અને જ્ઞાનસ્વરૂપ છે, તે શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો. ૧ જેઓ પાંચ મહાવ્રતોને આદરે છે, જ્ઞાનાચાર આદિ પાંચ
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy