________________
૧૮
કપૂર મહેંક-૭ કોઈથી ન કહ્યો જાય કરથી ન ગ્રહ્યો જાય, રહ્યો છે સમાય તાકું કેસે કે બતાઈએ ? નય અરુ ભંગ ન નિષેપ કો પ્રવેશ જિહાં, ઉગતિ જુગતિ તામેં કોન ભાત લાઈએ; ચિદાનંદ નિયત સરૂપ નિજ એસો ધાર, વિવહારસે હિ નાના ભેદ દરસાઈએ. ૩૭ તું તો અવિનાશી કાયા પ્રગટ વિનાશી, અરુ તું તો હે અરૂપી એતો રૂપી વસ્તુ જોઈએ; મળકેરી કયારી મોહરાયકી પિયારી એ તો, હોયગી ન્યારી એ તો વૃથા ભાર ઢોઈએ. મહા દુઃખખાની દુરગતિકી નીસાની તાતે, યાકે તો ભસે નિહચિંત નહિ સોઈએ;
આત્મામાં લેશ્યા, ગતિ અને યોગનો સંયોગ પ્રાપ્ત થતો નથી, એ આત્માનું સ્વરૂપ કોઈથી કહી શકાય એવું નથી, આ આત્મા હાથથી ગ્રહણ કરી શકાતો નથી, જેનામાં નય, ભંગ અને નિક્ષેપનો પ્રવેશ નથી, ઉક્તિ (વચન) અને યુક્તિ તેમાં કઈ રીતે લગાડી શકાય? હે ચિદાનંદ! આત્માનું આવું નિશ્ચિત સ્વરૂપ તું ધારણ કર. ખરેખર વ્યવહારથી જ એના જુદાજુદા ભેદ દેખાડવામાં આવે છે. ૩૭
તું (આત્મા) તો અવિનાશી-નિત્ય છે, અને શરીર એ પ્રકટપણે વિનાશી-અનિત્ય છે. તું તો અરૂપી છે, અને શરીર એ તો રૂપી વસ્તુ છે. એ કાયા તો મળની કયારી છે, મોહરાજાની પ્યારી છે. એ કાયા છેવટે જુદી થઈ જવાની છે, તેનો તો ફોગટ ભાર ઉઠાવીએ છીએ. એ કાયા મોટા દુઃખની ખાણ છે, તે દુર્ગતિની નિશાની છે, તે કાયાના ભરોસે