________________
સવૈયા-સાર્થ
ચિદાનંદ તપ જપ કિરિયાકો લાહો લીજે, નીકો નરભવ પાય વિરથા ન ખોઈએ. ૩૮
થીર કરી પંચ બીજ વાયુકો પ્રચાર કરે. ભેદે ખટ ચક્રકો અવક્ર ગતિ પાયકે; પ્રાણાયામ જોગ સપ્ત ભેદકો સ્વરૂપ લહી, રહત અડોલ વંકનાલમેં સમાયકે.
૧૯
નિશ્ચિતપણે ન સૂઈએ, હે ચિદાનંદ આત્મા ! તપ, જપ અને ક્રિયાનો લાભ લઈએ. ઉત્તમ મનુષ્યભવ પામીને તેને ફોગટ ન ગુમાવીએ. ૩૮
પાંચ બીજ-પાંચ તત્ત્વ(પૃથ્વીતત્ત્વ, જલતત્ત્વ, અગ્નિતત્ત્વ, વાયુતત્ત્વ અને આકાશતત્ત્વ)ને સ્થિર કરી, વાયુ પ્રાણવાયુના પ્રચારને સ્થિર કરે. (પ્રાણવાયુની સ્થિરતા જેટલે અંશે થાય તેટલા અંશે મનની પણ સ્થિરતા થાંય છે).
છ ચક્ર- ૧ કંઠના મધ્યભાગમાં વિશુદ્ધિચક્ર, ૨ હૃદયના ભાગમાં અનાહતચક્ર, ૩ જઠરના ભાગમાં મણિપૂરકચક્ર, ૪ આંતરડાના ભાગમાં સ્વાધિષ્ઠાનચક્ર, ૫ ગુદાસ્થાનમાં મૂલાધારચક્ર અને ૬ મગજમાંના તંતુઓના જાળામાંથી જે સૂક્ષ્મતંતુચક્ર બન્યું છે, તે સહસ્રારચક્ર. આ ચક્રમાં પ્રાણવાયુ રહેલો છે, તેમાં સંયમ કરવાની ષટ્ચક્રનું ભેદન થાય છે, અને તેથી સરલ ગતિ પ્રાપ્ત થાય છે. પ્રાણાયામ (શ્વાસ-ઉશ્વાસની ગતિ રોકવી તે) અને યોગના સાત ભેદોનું સ્વરૂપ જાણી, શ્વાસનો પ્રકાશ ભ્રકુટિચક્રથી હોય છે અને તે વંકનાલમાં થઈ નાભિમાં નિવાસ કરે છે તે સમજી, દેહના ભાનને ભૂલી, જ્ઞાનને મજબૂતપણે ધારણ કરી, અતિ પ્રીતિ લાવીને પરમ આનંદના સ્થાનરૂપ સૂક્ષ્મ, સ્વાનુભવથી ગમ્ય, અને દ્વાદશાંત સ્થાનની નીચે તેલની