________________
સવૈયા-સાર્થ
જાણ અજાણ દોઉમેં નહિ જડ, પ્રાણી એસો દુર્વિદગ્ધ કહાવે; વિરંચ સમાન ગુરુ જો મિલે તો હિ, વ્યાલતણી પરે વાંકો હિ જાવે. જાણ વિના હિ એકાંત ગહે સબ; આપ તપે પરકું જ્યું તપાવે; વાદવિવાદ કહા કરે મૂરખ, વાદ કિયે કછુ હાથ ન આવે. ૩૫
૧૭
વેલુકું પીલત તેલ લહે નહિં, તૂપ લહે નહિ તોય વિલોયા; સિંગકું દુહત દૂધ લહે નહિ, પાક લહે નહિ ઉખર બોયા. બાઉલ બોવત અંબ લહે નહિ, પુન્ય લહે નહિ પારકો તોયા; અંતર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તનકું કહા ધોયા ? ૩૬
દ્રવ્ય અરુ ભાવના કરમથી ન્યારો નિત, લેશ્યા ગતિ જોગ કો સંજોગ ન હુ પાઈએ;
જ્ઞાનીમાંએ ન ગણાય અને અજ્ઞાનીમાંએ ન ગણાય એવો જડ પ્રાણી દુર્વિદગ્ધ-બહુ મુશ્કેલીએ સમજાવી શકાય તેવો કહેવાય છે, જો બ્રહ્મા જેવા ગુરુ મળે તો પણ તે સાપની જેમ વાંકો જ ચાલે છે, સમ્યજ્ઞાન વિના તે બધી વસ્તુઓ એકાંતપણે જ ગ્રહણ કરે છે, પોતે મિથ્યાત્વવડે તપે છે અને બીજાને તપાવે છે. પણ હે મૂર્ખ ! શા માટે તું વાદ-વિવાદ કરે છે ? વાદ કરવાથી કાંઈપણ હાથમાં આવતું નથી. ૩૫
વેળુ-રેતીને પીલવાથી તેલ નીકળતું નથી, પાણીને વલોવવાથી માખણ-ઘી મેળવાતું નથી, શીંગડાને દોહવાથી દૂધ મળતું નથી, ખારી જમીનમાં વાવવાથી પાક(=અનાજ) મળતો નથી, બાવળ વાવવાથી કેરી મળતી નથી, પરને-બીજાને (તોયા=) તપાવવાથી પુણ્ય મળતું નથી, તેવી રીતે હૃદયને શુદ્ધ કર્યા સિવાય શુદ્ધિ થતી નથી, ઉપરથી શરીરને ધોવાથી શું થાય ? ૩૬
આત્માનું શુદ્ધસ્વરૂપ કેવું છે ? તે બતાવે છે : આ આત્મા દ્રવ્યકર્મ (૮ કર્મ) અને ભાવકર્મ(રાગ-દ્વેષ)થી અલગ છે,
આ