________________
સવૈયા-સાર્થ વેદ ભણો ક્યું કિતાબ ભણો અરુ, દેખો જિનાગમકું સબ જોઈ; દાન કરો અરુ સ્નાન કરો ભાવે, મૌન ધરો વનવાસી હોઈ. તાપ તપો અરુ જાપ જપો કોઉ, કાન ફિરાય ફિરો ફુનિ દોઈ; આતમ ધ્યાન અધ્યાતમ જ્ઞાન, સમો શિવસાધન ઓર ન કોઈ. ૧૦ જે અરિનમિત્ત બરાબર જાનત, પારસ ઓર પાષાણ ક્યું દોઈ; કંચન કીચ સમાન અહે જસ, નીચ નરેશમેં ભેદ ન કોઈ. માન કહા અપમાન કહા મન, ઐસો વિચાર નહિ તસ હોઈ; રાગ રુ રોષ નહિ ચિત્ત જાકે મ્યું, ધન્ય અહે જગમેં નર સોઈ. ૧૧ જ્ઞાની કહોર્યું અજ્ઞાની કહો કોઈ, ધ્યાની કહોમતમાની ક્યું કોઈ; જોગી કહોભાવે ભોગી કહો કોઈ, જાકુંજિસ્યો મન ભાસત હોઈ. દોષી કહો નિરદોષી કહો, પિંડ-પોષી કહો ઓગુન જોઈ; રાગ રુ રોષ નહિ સુન જાકે જ્ય, ધન્ય અહે જગમેં જન સોઈ. ૧૨ | વેદ ભણો કે ધર્મગ્રંથો ભણો, સર્વ જિનાગમોને જુઓ, દાન કરો, અથવા સ્નાન કરો, વનમાં નિવાસ કરીને મૌન ધારણ કરો, તપ તપો, કે કોઈ જાપ જપો, બન્ને કાન (ફિરાય) ફડાવીને ફરો, પણ આત્માનું ધ્યાન અને અધ્યાત્મના જ્ઞાન સમાન બીજું કોઈ મોક્ષનું સાધન નથી. ૧૦
જેઓ શત્રુ અને મિત્રને સમાન જાણે છે, પારસમણિ (જેના સ્પર્શથી લોઢું સુવર્ણપણાને પામે છે) અને પથ્થરને સમાન ગણે છે, સોનું અને (કીચ-માટી જેને સમાન છે, નીચસામાન્યજન અને રાજામાં જેને કોઈ ભેદ નથી, જેના મનમાં માન કે અપમાનનો કોઈ વિચાર નથી, જેના ચિત્તમાં રાગ કે દ્વેષ નથી, તે મનુષ્ય જગતમાં ધન્ય છે. ૧૧
કોઈ જ્ઞાની કહે કે અજ્ઞાની કહે, કોઈ ધ્યાની કહે કે કદાગ્રહી કહે, કોઈ યોગી કહે કે ભોગી કહે, જેના મનમાં જેવું મહેક-૭/૨