Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 24
________________ સવૈયા-સાર્થ જોબન સંધ્યા કે રાગ સમાન ન્યું, મૂઢ કહાં પરમાદકું સેવો? સંપત તો સરિતાકો હી પૂર જું, દાન કરી ફળ પાકો જ્યુ લેવો. આયુ તો અંજળિકે જળ ક્યું નિત, છિજત હલખ એસો જ્યુ લેવો; દેહ અપાવન જન સદા તુમ, કેવળીભાખિત મારગ સેવો. ૧૫ સંસાર અસાર ભયો જિનકું, મરવેકો કહા તિનકું ડર હે; તે તો લોક દેખાવ કહા ક્યું કહો, જિનકે હિયે અંતર થિત રહે. જિને મુંડ મુંડાય કે જોગ લીયો, તિનકે શિર કોન રહી કરહે; મન હાથ સદા જિનકું તિનકે, ઘર હિ વન હે વન હિ ઘરહે. ૧૬ શુભ સંવર ભાવ સદા વરતે, મન આશ્રવ કેરો કહા ડર હે; સહુ વાદવિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસો નર હે. આ યોવન સંધ્યાના રંગ જેવું વિનશ્વર છે, તે મૂઢ માણસ ! શા માટે પ્રમાદને સેવો છો ? આ સંપત્તિ તે તો નદીના પૂર જેવી છે, દાન કરીને તેનું ફળ મેળવો. આ આયુષ્ય તે “અંજલિમાં રહેલ પાણીની જેમ હંમેશાં ઘટતું જાય છે, આ હકીકત લક્ષમાં લે. આ શરીરને હંમેશાં તું અપવિત્ર જાણ. કેવળી ભગવંતે કહેલા માર્ગને સેવો. ૧૫ જેને આ સંસાર અસાર જણાયો છે, તેને મરવાનો ભય કયાંથી હોય ? તે શા માટે લોકોમાં દેખાવ કરવા માટે કહે, જેના હૃદયમાં આત્મ સ્વરૂપની સ્થિતિ છે, જેણે મસ્તક મુંડાવીને યોગમાર્ગને ગ્રહણ કર્યો છે, તેના મસ્તક ઉપર કઈ જાતનો (કર-)વેરો છે ? જેને મન હાથમાં છે-કબજામાં છે, તેને ઘર એ જ વન છે, અને વન એ ઘર છે. ૧૬ જે હંમેશા શુભ સંવરભાવ(આવતાં કર્મને રોકનાર ભાવ)માં વર્તે છે, તેના મનમાં આશ્રવ(કર્મ)નો ડર ક્યાંથી હોય ? સર્વ વાદવિવાદને ભૂલી જઈને અપાર સમતાને જે મનુષ્ય ધારણ કરે

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116