________________
કપૂર મહેક-૭ સાધુ સુસંત મહંત કહો કોલ, ભાવે કહો નિરગંથ પિયારે; ચોર કહો ચાહે ઢોર કહો કોઉં, સેવ કરો કોઉ જાન દુલારે. વિનય કરો કોઉ ઉંચે બેઠાય , દૂરથી દેખ કહો કોઉ જા રે, ધારે સદા સમભાવ ચિદાનંદ, લોક કહાવતનું નિત ન્યારે. ૧૩ માનીકું હોય ન મક્વતા ગુણ, મદ્વતા તબ કાહે કો માની? દાની ન હોય અદત્તજિકો ર્યું, અદત્ત ભયો તે તો કાહકો દાની? ધ્યાનીકું ચંચળતા નહિ વ્યાપત, ચંચળતા તદ કાહકો ધ્યાની? જ્ઞાની ન હોય ગુમાની સુનો નર, માન અહે તદ કાકો જ્ઞાની? ૧૪
લાગે તેમ કહે, કોઈ દોષિત કહે કે કોઈ નિર્દોષી કહે, કોઈ અવગુણ દેખીને પિંડપોષી કહે, જે સાંભળીને જેના મનમાં રાગ કે રોષ ન થાય, તે મનુષ્ય જગતમાં ધન્ય છે. ૧૨
કોઈ સાધુ સુસંત કે મહંત કહે, કોઈ પ્યારા નિગ્રંથ કહે, કોઈ ચોર કહે કે પશુ કહે, કોઈ જાણતો માણસ પ્રેમથી સેવા કરે, કોઈ ઉચે સ્થાને બેસાડીને વિનય કરે, કોઈ દૂરથી જોઈને જાકારો આપે, તો પણ ચિદાનંદ-આત્મા હંમેશાં સમભાવને ધારણ કરે અને લોકના કથનથી હંમેશાં ન્યારોઅલગ રહે. ૧૩
માની પુરુષને માદવતા-મૂદુતા નિરભિમાનપણું) ગુણ હોતો નથી, જો માર્દવતા ગુણ હોય તો તે માની કઈ રીતે હોય ? જે દાની હોય તેને અદત્ત (નહિ આપેલ) લે તે દાની કેવી રીતે હોય ? ધ્યાની આત્માને ચંચળતા હોતી નથી, જો ચંચળતા છે તો તે ધ્યાની કેવી રીતે હોય ? જે જ્ઞાની હોય તે અભિમાની ન હોય, જો માન છે તો તે જ્ઞાની કઈ રીતે હોય ? ૧૪