________________
મરવાવાળા મરીને સ્વર્ગ ગયા કે નર્ક ?
જો કોઈ તે જાણવા ઇચ્છતું હોય તો તેના માટે કોઈ સંત કે જ્યોતિષીને મળવાની જરૂર નથી, પરંતુ તેની સ્મશાનયાત્રામાં
થતી વાતોને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જો લોકો કહી રહ્યા હોય કે બહુ સારો માણસ હતો, હજી તો દેશ અને સમાજને તેની
ખૂબ જરૂર હતી, જલ્દી ચાલ્યો ગયો તો જાણજો તે સ્વર્ગમાં ગયો છે. અને જો લોકો કહી રહ્યા હોય કે
સારું થયું ધરતી પરથી એક પાપ ઓછું થયું તો જાણજો કે મરવાવાળો નર્કમાં ગયો છે.
Jain Education International
27
For Private & Personal Use Only
www.jainelibrary.org