________________
પાણી પર દોરાયેલ રેખાની કોઈ ઉંમર નથી હોતી.
જીવન પણ લગભગ એવું જ છે. ખબર નહીં ક્યારે કૂચ કરવાનું ભૂગલ વાગી જાય. તેથી સો કામ છોડીને સત્સંગમાં બેસવું જોઈએ અને હજાર કામ છોડીને ધર્મ-ધ્યાન કરવું જોઈએ. જો “આજે એમ નહીં કરો તો “કાલ' ઘણી ખરાબ હશે.
સોમવારે જન્મ થયો, મંગળવારે મોટા થયા,
બુધવારે લગ્ન થયા, ગુરુવારે બાળકો થયા, શુક્રવારે બીમાર પડયા, શનિવારે હોસ્પિટલ ગયા અને રવિવારે ચાલ્યા ગયા - હું પૂછું છું,
શું આ જ જિંદગી છે ?
32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org