________________
કોઈ ધર્મ ખરાબ નથી, પરંતુ તમામ ધર્મોમાં કેટલાક ખરાબ લોકો જરૂર છે જે પોતાના સ્વાર્થને ખાતર ધર્મની આડમાં પોતાના
ગોરખધંધા અને બદઇરાદા જાહેર કરતા રહે છે. જો આપણે આ થોડાક ખરાબ માણસોના હૃદયને પરિવર્તિત કરી શકીએ, તેમને સાચા રસ્તે ચલાવી શકીએ અને પ્રામાણિક મનુષ્ય બનાવી જીવતાં શીખવી શકીએ તો ખરેખર સાચું માનજો આ સમગ્ર વિશ્વ સ્વર્ગમાં બદલાઈ જશે. ધર્મ મલમ નહીં પરંતુ ટોનિક છે. તેને બહાર લગાવવાના બદલે પી જવાનો છે. ઘોર આશ્ચર્ય છે કે ધર્મ માટે લડીશું-મરીશું પરંતુ તે મુજબ જીવીશું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org