________________
આજે કેટલાક લોકો દ્વારા ધર્મ અને મજહબનાં નામ ૫૨, જાતિ અને ભાષાનાં નામ પર દેશ અને દુનિયાને વિભાજિત કરાઈ રહી છે. આવા વિભાજિત કરનારાઓને હું મુનિ તરુણસાગર પડકારું છું કે વિભાજિત કરનારા માણસો ! તમે રેખા ખેંચીને જમીનને તો વિભાજિત કરી નાખી પણ હું તમારી શક્તિ તે દિવસે સ્વીકારીશ જે દિવસે તમે આકાશમાં રેખા ખેંચીને બતાવો, જે દિવસે તમે હવા વિભાજિત કરીને દેખાડો કે, આ હિંદુની હવા છે અને આ મુસલમાનની હવા છે. જો તમારામાં તાકાત હોય તો સમયને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિભાજિત કરી બતાવો.
Jain Education International
74
For Private & Personal Use Only
www.jainelibrary.org