________________
અતિથિ દેવતા છે. ઘરમાં અતિથિ આવેલ હોય તો અમૃત પણ કેમ ન હોય, એકલાં ન પીવું જોઈએ. જે ઘરમાં અતિથિનો સત્કાર ન થાય તે ઘર ઘર નથી
સ્મશાન છે. તે ઘરના આંગણે ભૂલમાં પણ પગ પડી જાય તો સ્નાન કરવું જોઈએ અને જે ઘરમાં
અતિથિ સત્કાર ક્યારેય ચૂકાતો નથી તે ઘર તીર્થ છે. તે ઘરનો ઉંબરો સ્પર્શી લેવાથી
જ તીર્થ દર્શનનું ફળ મળી જાય છે. જે ગૃહસ્થ અતિથિને જમાડી પછી પોતે જમે છે તે ક્યારેય ભૂખ્યો સૂતો નથી. જે વ્યક્તિ જનારા અતિથિની
સેવા કરી ચૂક્યો છે અને આવનારા અતિથિની રાહ જુએ છે, તે પોતે દેવતાઓનો અતિથિ બને છે.
87
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org