________________
ભાગ્યવાનો ! આ પ્રસંગ ઘણો જ વિચારણીય છે. કારણકે જે ? સમયે શ્રી વજબાહુ ખરેખર જ આ કોઈ મહાત્મા છે, મહામુનિ વંઘ લો કે જ છે અને આવા ચિંતામણિ જેવા આ મહર્ષિનું દર્શન મહાપુણ્યોદયે તે થયું છે. આ પ્રમાણે બોલ્યા, તે સમયે શ્રી વજબાહુના અંતરમાં દીક્ષા લેવાના પરિણામ ન હતા, પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલા આત્માના અંતરમાં દીક્ષાની ભાવના તો અહર્નિશ જીવતી ને જાગતી જ હોય છે. આ ભાવનાના જ પ્રભાવે, શ્રી ઉદયસુંદરનો ઉપરનો પ્રશ્ન સાંભળતાંની સાથે જ શ્રી વજબાહુએ એકદમ ઉત્તર આપતા ઘણી જ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે,
“મિતિ ને ?” તે પરમતારક પરિવ્રજ્યાને સ્વીકારવાનું મારું ચિત્ત છે." આ ઉત્તર સાંભળીને હાંસીમાં ચઢેલા શ્રી ઉદયસુંદર હાંસીમાં ફરીને કહ્યું उढयो नर्मणा भूयः, प्रोचे यद्यस्ति ते मनः । तदद्य मा विलंबस्व, सहायोऽहमस्मीह ते ।।
જો એ દીક્ષા લેવાનું આપનું મન છે, તો તે આજે જ સ્વીકારો વિલંબ ન કરો કારણકે હું પણ એ કામમાં આપનો સહાયક છું."
આ સાંભળીને એક મશ્કરીના વચનમાત્રથી જ વૈરાગ્યસંગથી રંગાઈ ગયેલા શ્રી વજબાહુકુમારે શ્રી ઉદયસુંદરને કહ્યું કે, "मर्यादाभिव वारिधिः, मा त्याक्षीः स्वामिमां संधां"
‘જેમ સાગર પોતાની મર્યાદાને તજતો નથી, તેમ તું પણ આ પોતાની પ્રતિજ્ઞાને તજતો નહિ. આવા સ્પષ્ટ કથનના ભાવને પણ નહિ સમજતા શ્રી ઉદયસુંદરે ઉપહાસમાં તે ઉપહાસમાં કહી દૌધું કે, મારેવ.“ઘણું જ સારું."
આ ઉત્તરથી અતિશય પ્રસન્ન થયેલા શ્રી વજબાહુકુમાર જેમ મોહને ત્યજે, તેમ વાહન ઉપરથી ઉતરીને વસંત નામના પર્વત ઉપર ચઢવા લાગ્યા, તેમની સાથે શ્રી ઉદયસુંદર આદિએ પણ ચઢવા માંડયું, શ્રી ઉદયસુંદરે આ સઘળી પ્રવૃત્તિનું ઘણી જ કાળજીપૂર્વક અવલોકન કર્યું અને એ અવલોકનથી શ્રી ઉદયસુંદર સમજી શક્યા છે કે, હું તો મશ્કરી કરું છું. પણ આ તો સાચું જ કરી રહ્યા છે.
ઉત્તમ કુળનો
અનુમ મહિમા...૧