________________
શબ્દાર્થ ચંદ્રનું ૧ પલ્યોપમ અધિક લાખ વર્ષનું, સૂર્યનું ૧ પાપમ અધિક ૧ હજાર વર્ષનું, અને ગ્રહોનું ૧ પપમ આયુષ્ય હોય છે. એ ત્રણે ( ચંદ્ર સૂર્ય અને ગ્રહ)ની દેવીઓનું આયુષ્ય (એમનાથી) અડધું છે. અનુક્રમે નક્ષત્ર અને તારાનું અર્ધ પામ અને પલ્યોપમ છે. તે (બંને નક્ષત્ર અને તારા ) ની દેવીઓનું આયુષ્ય અનુક્રમે વા પલ્યોપમથી અધિક અને પાપમના આઠમાં ભાગથી અધિક છે. ચાર યુગલ (ચંદ્ર, સૂર્ય ગ્રહ અને નક્ષત્રના વિમાનવાસી દેવ અને દેવીઓ)નું ન પચેપમ અને પાંચમા (તારાના) યુગલનું પલ્યોપમને આઠમે ભાગ જઘન્ય આયુષ્ય હોય છે.
વિવેચન—તિષી દેના બે ભેદ છે. એક ચર અને બીજા સ્થિર. અઢી દ્વીપમાં તિષી દેવોનાં વિમાને ચર છે અને અઢી દ્વીપની બહારના જ્યોતિષી દેવનાં વિમાને સ્થિર છે.
ચંદ્ર અને સૂર્ય એ બે જોતિષીના ઇંદ્રો છે. તથા બાકીના ત્રણ વિમાનના ધણી છે, તેથી ઈંદ્રો અને વિમાનના ધણીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય જ હોય છે.
બૃહતસંગ્રહણીના પ્રશ્નો. ૧. આ બૃહત્સંગ્રહણમાં મંગળ કોને કર્યું છે અને તે કરવાનું કારણ શું? ૨. અભિધેય, સંબંધ, પ્રયોજન અને અધિકારીનું વિવેચન કરે.
દક્ષિણ અને ઉત્તર દિશાના દશે ભવનપતિ દેવ અને દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે. વ્યંતર અને પાંચે તિષી દેવ અને દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે.