________________
શબ્દાર્થ અથવા ચાર પગલાં રૂપ ચંડાદિ દરેક ગતિને ત્રણ ગુણ આદિ વડે જોડતાં કેટલાંક વિમાનેને પણ નિશ્ચ પાર ન. ત્રણે ગુણવાથી ચાર દેવકનાં, વળી પાંચે ગુણવાથી આઠ દેવલોકનાં, સાતે ગુણવાથી ૯ કૈવેયકનાં અને નવે ગુણવાથી ૪ અનુત્તરનાં વિમાનને પાર પામે. એમ જાણવું.
વિવેચન–ચંડાદિ ચારે ગતિને ત્રણે ગુણતાં ચાર દેવકનાં વિમાનની પહેળાઈ, લંબાઈ, અત્યંતર પરિધિ, અને બાહ્ય પરિધિને પાર પામે. એવી રીતે ચંડાદિ ચારે ગતિને પાંચે ગુણતાં બ્રહ્મદેવલોકથી અમૃત દેવલોક સુધીનાં કેટલાંક વિમાનેને પાર પામે અને ચંડાદિ ચારે ગતિને સાતે ગુણતાં ૯ ગ્રેવેયકનાં વિમાનને પાર પામે અને ચંડાદિ ચારે ગતિને નવે ગુણતાં સર્વાર્થ સિદ્ધ વજીને ૪ અનુત્તર વિમાનને પાર પામે.
આ ક્રમ ( પગલાં ) રૂ૫ ચંડાદિ ગતિ વડે છ માસ સુધી નિરંતર ચાલતાં દેવે કેટલાંક વિમાનેને પાર ન પણ પામે. દેવોની આટલી જ ગતિ છે એમ ન સમજવું, કારણકે સધર્માદિ દેવલોકમાંથી દેવ જિનેશ્વરના કલ્યાણકામાં તેજ દિવસે તેજ સમયે મનુષ્યક્ષેત્ર અત્યંત દૂર હોવા છતાં પણ આવે છે, તેનું કારણ એ છે કે દેવતાઓ ભવ સ્વભાવથી અચિંત્ય શક્તિવાળા હોવાથી શીઘ ગતિવાળા હોય છે. જેમ પલ્યોપમનું પ્રમાણુ કલિપત છે, તેમ આ કલ્પિત ગાતનું પ્રમાણ પણ બાળ ને સમજાવવા માટે દેખાડયું છે.
૧ સૂર્યનું તાપક્ષેત્ર કેટલું ? ચંદાદિ ચાર ગતિનું વર્ણન કરે.