Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 148
________________ ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા ૨૭ ૧૨૭ છે સ્થાપના સત્ય છે. અને કૂટદ્રવ્ય કૂટલિંગવાળા એવા યતિ, રૂપ છે રૂપસત્ય છે, એ પ્રમાણે પ્રતિ વિશેષ જાણવો પરસ્પર ભેદ જાણવો. ઘરશા ભાવાર્થ :(પ) રૂપસત્યભાષા : ગાથા-૨૬માં નામસત્યનું લક્ષણ કર્યું તેવું જ રૂપસત્યનું લક્ષણ છે; ફક્ત નામસત્યના લક્ષણમાં નામઅભિપ્રાયથી લબ્ધપ્રસરાને સ્થાને રૂપઅભિપ્રાયથી લબ્ધપ્રસરા વિશેષણ મૂકવું. તેથી એ પ્રાપ્ત થાય કે ભાવાર્થ વિહીન એવા પાસત્યાદિમાં રૂપઅભિપ્રાયથી લબ્ધપ્રસરવાળી ભાષા=સુસાધુના સદશરૂપ વેશ છે એ પ્રકારના અભિપ્રાયથી લબ્ધપ્રસરવાળી ભાષા, રૂપસત્ય છે. આ કથનથી રૂપ સત્યભાષાનું લક્ષણ શું પ્રાપ્ત થાય ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – સાધુપણાના ગુણોરૂપ યતિશબ્દના ભાવરૂપ અર્થનો બાધ જેમાં દેખાતો હોય તેનાથી યુક્ત યતિવેશના રૂપવાળી વસ્તુમાં ઉપચારને ગ્રહણ કરીને પ્રવર્તતા યતિપદથી ઘટિત ભાષાપણું જે ભાષામાં હોય તે ભાષા રૂપસત્ય છે. પ્રગટ રીતે ભગવાનના વચનથી વિપરીત સેવનારા વેશવાળા સાધુમાં આ યતિ છે એ પ્રકારનો યતિ શબ્દનો ઉપચાર પ્રવર્તે છે તેથી તેવી ભાષાને રૂપસત્યભાષા કહેવાય. વળી કોઈ યતિવેશવાળા સાધુ ભાવથી જિનવચનને અનુકૂળ પરિણતિવાળા નથી પરંતુ તથાવિધ માયાથી કે અન્યવિધ કોઈ પ્રયોજનથી સાધુવેશ ગ્રહણ કરીને શુદ્ધ વસતિમાં નિવાસ કરવો એ રૂપ આલય, નવકલ્પી વિહાર કરવો એ રૂપ વિહાર અને સમિતિપૂર્વક ગમનાદિ કરતા હોય તેને જોઈને કોઈને ભ્રમ થાય કે આ સુસાધુ છે તે અવસ્થામાં તેવા લિંગધારી સાધુમાં આ યતિ છે એ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે તે ભાવયતિનું વાચક વચન છે તેથી પરમાર્થથી તે અસત્યભાષા છે. તેવી અસત્યભાષા બોલનાર કોઈ શ્રાવક હોય તો પણ તે વખતે તે શ્રાવકના ચિત્તમાં કુસાધુમાં સુસાધુની બુદ્ધિ કરવારૂપ સંક્લેશનો પરિણામ નથી પરંતુ સાધ્વાચારની સમ્યગુ બાહ્ય આચરણા દ્વારા ભાવસાધુપણાનો નિર્ણય કરીને તે પાસત્યાદિની ભક્તિ કરવાનો અસંક્લેશવાળો પરિણામ છે, તેથી શાસ્ત્રવચનાનુસાર શુદ્ધ પરિણામ હોવાને કારણે પરમાર્થથી અસત્યભાષામાં પણ કર્મબંધની પ્રાપ્તિ નથી પરંતુ શાસ્ત્રવચનની મર્યાદાથી સુસાધુનો નિર્ણય કરવાનો વિશુદ્ધ પરિણામ છે અને તે પરિણામપૂર્વક સુસાધુની ભક્તિ કરવાનો પરિણામ છે તેથી મહાનિર્જરા જ છે, આથી જ અંગારમર્દક આચાર્યરૂપ કુસાધુમાં સુસાધુપણાની બુદ્ધિથી શિષ્યભાવને ધારણ કરનારા પાંચસો શિષ્યોને ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે રૂપસત્યનું લક્ષણ કર્યું ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જેમ જિનપ્રતિમામાં તીર્થકરપણું નથી છતાં તીર્થકરની સ્થાપના કરીને આ તીર્થકર છે તેમ કહેવાથી એ ભાષા સ્થાપના સત્ય બને છે તેમ પાસત્યાદિમાં પણ ભાવયતિત્વનો બાધ હોવા છતાં સ્થાપનાતિત્વનું આશ્રયણ થઈ શકે. એ શંકાનું નિવારણ કરતાં ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232