________________
૧૫૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨ અહીં બે ઉદાહરણો આપ્યાં તેમાંથી પ્રથમનું ઉદાહરણ નામકુંભ, સ્થાપનાકુંભ આદિ કુંભના વ્યવચ્છેદપૂર્વક પારમાર્થિક કુંભના બોધના અભિપ્રાયથી સદ્ એવા કુંભમાં કુંભપદનો પ્રયોગ હોવાથી તે ભાવસત્યભાષા છે.
વળી બીજા ઉદાહરણમાં બલાકામાં પાંચ વર્ણોનો સંભવ હોવા છતાં બલાકા સફેદ છે તે કથન બલાકામાં વર્તતા ઉત્કટ શુક્લરૂપને બતાવવા માટે કરાયું છે, તેથી તે વચન બલાકામાં રહેલા ઉત્કટ રૂપનો યથાર્થ બોધ કરાવે છે માટે ભાવસત્યભાષા છે.
અહીં પ્રશ્ન થાય કે બલાકા સફેદ છે તે વચનને વ્યવહારસત્યમાં જ અંતર્ભાવ કરવું જોઈએ; કેમ કે નિશ્ચયથી તો શાસ્ત્રવચનાનુસાર બલાકામાં પાંચ વર્ણો છે તેથી પાંચવર્ણવાળી બલાકા છે તેમ કહેવાથી જ તે ભાષા તે વસ્તુમાં રહેલા ભાવોને યથાર્થ કહેનારી છે તેમ સ્વીકારી શકાય, છતાં વ્યવહારથી જેમ નદી પિવાય છે. ઇત્યાદિ પ્રયોગો થાય છે તેમ બલાકામાં દેખાતા શુક્લવર્ણને આશ્રયીને બલાકા શુક્લ છે એ પ્રકારનો વ્યવહાર છે તેમ માનવું જોઈએ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વ્યવહારસત્યભાષા તો લોકવ્યવહારથી ઘટિત છે તેથી લોકવ્યવહાર અનુસાર જે પ્રયોગો થતા હોય તે ભાષા વ્યવહારસત્ય કહેવાય પરંતુ બલાકા સફેદ છે તે સ્થાનમાં તો સ્યાદ્વાદને જાણનાર વ્યુત્પન્ન પુરુષને જ્ઞાન છે કે બાદર સ્કંધો પાંચવર્ણવાળા છે તેથી બલાકામાં પણ પાંચવર્ણો છે તોપણ શાસ્ત્રની વ્યવહારદષ્ટિ ઉત્કટ રૂપને ગ્રહણ કરીને તેનો બોધ કરાવવા અર્થે બલાકા સફેદ છે તેમ કહે છે અને તે વ્યવહારદષ્ટિથી પરિકર્મિતમતિવાળા પુરુષથી બોલાયેલું વચન લોકોત્તર વિવક્ષાથી ઘટિત હોવાને કારણે ભાવસત્યમાં જ અંતર્ભાવ પામે છે; કેમ કે લોકોત્તર વિવક્ષા અનુસાર બલાકામાં વર્તતા ઉત્કટ શુક્લરૂપને જ બતાવવા અર્થે આ બલાકા સફેદ છે તેમ વ્યવહાર કરાય છે.
આનાથી એ ફલિત થાય કે લોકોત્તર વ્યવહારની દૃષ્ટિથી બલાકા શ્વેત છે એ પ્રયોગમાં નિશ્ચયદૃષ્ટિથી બલાકાના પંચવર્ણનો અપલાપ નથી પરંતુ બલાકામાં ઉત્કટ શ્વેતરૂપ છે અને અનુત્કટ અન્યવર્ગો છે તે પ્રકારનો સ્વીકાર હોવાથી તે ભાષા ભાવસત્ય બને છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ભાવસત્યનાં બે ઉદાહરણો બતાવીને ભાવસત્યભાષા બે પ્રકારની છે તેમ બતાવ્યું. ત્યાં કોઈક શંકા કરતાં કહે છે કે અન્યત્ર શાસ્ત્રમાં કોઈક સ્થાને ભાવસત્યભાષાના ઉદાહરણમાં આ બલાકા શ્વેત છે એ જ ઉદાહરણ આપેલું છે માટે ભાવઘટને ઘટ કહેવું એ રૂપ પ્રથમ ઉદાહરણ સ્વછંદ મતિથી વિકલ્પિત છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની શંકા કરવી નહિ; કેમ કે દશવૈકાલિકના ચૂર્ણિકારે જ કહ્યું છે કે કોઈ પુરુષ ઘડો લાવવાના અભિપ્રાયથી કોઈને કહે કે ઘડો લાવ તો તે ભાષા ભાવસત્યભાષા છે અથવા વાસ્તવિક એવી ગાયમાં ગાય એ પ્રમાણે કહે અથવા અશ્વના અભિપ્રાયથી અશ્વને અશ્વ કહે એ વગેરે ભાવસત્યભાષા છે, તેથી ચૂર્ણિકારના વચનાનુસાર ભાવઘટને ઘટ કહેનારું વચન પણ ભાવસત્યભાષા છે તેમ સ્વીકારવું જોઈએ.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શાસ્ત્રની સૂક્ષ્મદ્રષ્ટિથી બલાકામાં પાંચવર્ષો છે, છતાં શાસ્ત્રવ્યવહારથી બલાકાને શુક્લ કહેનાર વચન ભાવસત્યભાષા છે. ત્યાં કોઈ શંકા કરે છે કે બલાકામાં પાંચ વર્ષો