Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 164
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૩૧ गलति, संभोगजबीजप्रभवोदराभाववती कन्या, लवनयोग्यलोमाभाववत्येडकेत्याद्यर्थानामुदाहरणानाम्, न च गिरितृणादीनामभेदाभिधानान्मृषावादित्वप्रसङ्गः व्यावहारिकाभेदाश्रयणेनाऽदोषत्वात् लोकविवक्षाग्रहणाच्च न रूपसत्याद्यतिव्याप्तिः, एवमामलक्यादौ एकेन्द्रियत्वेन नपुंसकत्वेऽपि स्त्र्याद्यभेदविवक्षया स्त्रीत्वादिप्रतिपादनमपि व्यवहारसत्यमेवेति द्रष्टव्यमिति दिग् ।। ३१ ।। ૧૪૩ ટીકાર્ય ઃ व्यवहारो વિમ્ ।। વ્યવહાર લોકોની વિવક્ષા છે. બોલવાની ઇચ્છા વિવક્ષા છે. અને તે=વિવક્ષા અહીં=લોકમાં નદી આદિ પદ નદીગત નીરાદિકનો બોધ કરો એ પ્રકારની પ્રયોક્તની ઇચ્છા છે; કેમ કે તેનાથી=નદી પિવાય છે એ પ્રકારના પ્રયોગથી, નધાદિ પદથી નદીગત નીરાદિની પ્રતીતિ છે. નદી અને તેના નીરાદિના અભેદની પ્રતીતિ છે=નદી પિવાય છે એ પ્રકારના પ્રયોગથી શ્રોતાને નદી અને તેના નીરાદિના અભેદની પ્રતીતિ છે એ પ્રમાણે એક કહે છે, નધાદિ પદ નદીના અભિન્નપણાથી નદીગત નીરાદિકનો બોધ કરાવો એ પ્રકારની વિવક્ષા લોકવ્યવહાર છે એમ અન્ય કહે છે. ***** તે વિવક્ષાથી=પૂર્વમાં ત્રણ પ્રકારે લોકવિવક્ષાનો અર્થ કર્યો તે પ્રકારની કોઈપણ વિવક્ષાથી, જે ભાષાપ્રયોગ કરાય છે તે ભાષા નદી પિવાય છે, પર્વત બળે છે એ પ્રકારના તેમાં=તે ભાષાપ્રયોગમાં વ્યવહારસત્ય છે. અહીં=વ્યવહારભાષામાં, નદી પિવાય છે એ પ્રકારના આનું=નદી પિવાય છે એ પ્રકારના પ્રયોગનું, નદીગત નીર પિવાય છે એ પ્રકારનો અર્થ છે અને ગિરિ બળે છે એ પ્રકારના આવું=એ પ્રકારના પ્રયોગનું, પર્વતગત તૃણાદિક બળે છે એ પ્રકારનો અર્થ છે. ભાજન ગળે છે, અનુદરા કન્યા=ઉદર વગરની કન્યા છે, અલોમા એડકા=લોમ વગરની ઘેટી છે. ઇત્યાદિ પ્રયોગોનું આ ઉપલક્ષણ છે=નદી પિવાય છે, ઇત્યાદિ કથન ઉપલક્ષણ છે. કઈ રીતે ઉપલક્ષણ છે ? તે સ્પષ્ટ કરે છે - ભાજનગત જલ ગળે છે=ભાજન ગળે એનો અર્થ ભાજતગત જલ ગળે છે. સંભોગથી ઉત્પન્ન થયેલ બીજથી પ્રભવ એવા ઉદરના અભાવવાળી=ગર્ભના અભાવવાળી કન્યા અનુદરા કન્યા છે. કાપવાને યોગ્ય લોમના અભાવવાળી એડકા છે=અલોમવાળી એડકી છે ઇત્યાદિ અર્થવાળાં ઉદાહરણોનું આ ઉપલક્ષણ છે એમ અન્વય છે. અને ગિરતૃણાદિના અભેદનું અભિધાન હોવાથી મૃષાવાદિત્વનો પ્રસંગ નથી; કેમ કે વ્યાવહારિક અભેદ આશ્રયણ હોવાને કારણે અદોષપણું છે=ગિરિ બળે છે એ ભાષામાં અદોષપણું છે અને લોકવિવક્ષાનું ગ્રહણ હોવાથી રૂપસત્યાદિમાં અતિવ્યાપ્તિ નથી. એ રીતે=ગિરિ બળે છે એ પ્રયોગમાં વ્યાવહારિક અભેદના આશ્રયણને કારણે મૃષાત્વ દોષ નથી એ પ્રમાણે, આમલકી આદિમાં એકેંદ્રિયપણું હોવાને કારણે નપુંસકપણું હોવા છતાં પણ સ્ત્રી આદિના અભેદની વિવક્ષાથી સ્ત્રીત્વ આદિનું પ્રતિપાદન પણ=આમલકી સ્ત્રીલિંગ શબ્દ છે ઇત્યાદિ પ્રતિપાદન પણ, વ્યવહારસત્ય છે એ પ્રમાણે જાણવું એ રીતે દિશાસૂચન છે. ।।૩૧।।

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232