Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪]
[૨૩ આશ્રયે વીતરાગતા વધે છે. –એમ સ્વતંત્ર વાત સમજવી જોઈએ.
૨૩. અકર્તુત્વગુણ :- આત્મા વિકારનો ખરેખર કર્તા હોય તો આત્મા અને વિકાર તન્મય થઈ જાય ને તો વિકારી પરિણમન ટળત નહિ. આત્મા પરનો તેમ જ વિકારનો અકર્તા છે. અકર્તુત્વ વિના કર્મનો કર્તા હોત-એમ બતાવી અકર્તુત્વગુણ સાબિત કરેલ છે.
૨૪. અભોકતૃત્વગુણ :- આત્મામાં અભોક્તાસ્વભાવ છે. જો તે ન હોય તો સદાય પુણ્ય-પાપને ભોગવત ને કદી આનંદને ભોગવત નહિ. આત્મા જડને કદી ભોગવતો નથી. અજ્ઞાની શરીરનું સૌંદર્ય જોઈ તેને ભોગવવાની કલ્પના કરે છે. આત્મા અરૂપી છે, જડ પદાર્થો રૂપી છે. બન્ને વચ્ચે અત્યંત અભાવ છે, માટે જડને આત્મા કદી ભોગવતો નથી. પર ચીજો જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાનના વિષયો છે. માટે, જ્ઞાનના નિમિત્તને પણ જ્ઞાન કહે છે. આખું જગત જ્ઞાન છે, એકમેક છે માટે નહિ પણ જ્ઞાનમાં વિષય છે માટે કહ્યું. આ ચોપડી, આ જીવ વગેરે જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન પોતાનું છે, પોતાને જાણે છે પણ પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. જ્ઞાનમાં ય નિમિત્ત છે, તેથી પરને જ્ઞાન કહી દીધું છે. ખરેખર પર કાંઈ જ્ઞાન નથી, પોતે જ જ્ઞાનસ્વરૂપ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com