________________
આ હી નામના બીજને વિષે પિતાપિતાના વર્ષે કરીને યુક્ત એવા સર્વે ઋષભ વિગેરે જિનેશ્વર રહેલા છે. તે હકારમાં રહેલા તે જિનેશ્વરે ધ્યાન કરવા લાયક છે. ૨૨. नादश्चन्द्रसमाकारो, बिन्दुर्नीलसमप्रभः । कलाऽरुणसमा सान्तः, स्वर्णाभः सर्वतोमुखः ॥२३॥ शिरःसंलीन ईकारो, विनीलो वर्णतः स्मृतः । वर्णानुसारसंलोनं, तोर्थकृन्मण्डलं स्तुमः ॥२४॥
આ હૈ નામના બીજને વિષે જે નાદ (-) છે તે ચંદ્ર જેવા ઉજવળ વર્ણવાળે છે, બિંદુ એટલે અનુસ્વાર નીલ વર્ણવાળે (સ્થામ) છે, જે કળા છે તે અરૂણ જેવી રક્ત વર્ણવાળી છે, સર્વત્ર મુખવાળે એટલે સર્વત્ર વ્યાપીને રહેલે સ પછીને અક્ષર (૪) છે તે સુવર્ણ જેવી પીળી કાંતિવાળે છે, અને મસ્તક પર રહેલો જે દીર્ઘ ઈકાર છે તે વિશેષ કરીને નીલ વર્ણવાળે કહ્યો છે. આ કહેલા વર્ણને અનુસારે લીન થયેલા-વ્યાપીને રહેલા તીર્થકરેના મંડળની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૩-૨૪.
હવે વીશ તીર્થંકરના વણ કહે છે– चन्द्रप्रभपुष्पदन्तौ, नादस्थितिसमाश्रितो। बिन्दुमध्यगतौ नेमि-सुव्रतौ जिनसत्तमौ ॥२५॥
ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિ) એ બે તીર્થકર નાદની સ્થિતિને આશ્રય કરનારા એટલે ઉજવળ–સ્વેત વર્ણવાળા છે, નેમિનાથ અને સુવ્રતસ્વામી એ બે જિનેશ્વર બિંદુના મધ્યમાં રહેલા છે એટલે કે નીલ કાંતિવાળા છે, ૨૫. पद्मप्रभवासुपूज्यौ, कलापदमधिष्ठितौ । शिरईस्थितिसंलीनौ, पार्श्वमल्लीजिनोत्तमौ ॥२६॥