Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 510
________________ ( ૩). વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણે પ્રકારે શુદ્ધિ કહેવાય છે. તે શુદ્ધિ એક એકથી વિશેષ ઉત્તમ છે. તે ત્રણે કર્મમાં જે ખથી પિતાના આત્માને મૂકવાને કંપાપાત વગેરે કરે તે પહેલું-વિષયશુદ્ધિ કર્મ કહેવાય છે. ૨૧ જે બીજી આત્મશુદ્ધિ છે, તે અજ્ઞાનીઓને થાય છે, તે લોકદ્રષ્ટિએ પાંચ યમ, ત્રણ નિયમ વગેરે પાલે છે અને ત્રીજી અનુબંધ શુદ્ધિ છે, તે શાંત વૃત્તિવડે તત્વના સંવેદનઅનુભવને અનુસરે છે. ૨૨ પહેલી વિષયકૃદ્ધિ અજ્ઞાનના બહુપણાથી મોક્ષના સાધકને બાધ કરનારી છે, અને તેના સદ્દભાવથી શુભ આશયને લેશ માત્ર હોય તો તેથી જન્મ-મરણ થયા કરે એમ ગાભ્યાસી પુરૂષ કહે છે. ૨૩ બીજી આત્મશુદ્ધિથી ક્વચિત દેષની હાનિ તે થાય, પણ દેડકાના ચૂર્ણની જેમ પરંપરાએ ઘણા દેષ થઈ જાય છે, અને ત્રીજી અનુબંધ શુદ્ધિમાં તે ગુરતા ભાવ અને લઘુતા ભાવના ચિંતવનથી કર્મની અત્યંત હાની થાય છે. ૨૪ જે કિયા સ્વરૂપથી પણ શુદ્ધ હોય તે તે આત્માને શુદ્ધતા કરનારી છે, માટે શુદ્ધ ક્રિયા કરવી જોઈએ. મુનીં પરમેશ્વરે બતાવેલા વ્યવહારવડે દ્રઢ આદરથી શુદ્ધ ક્રિયા કરવામાં આવે તે તેથી ત્રણ ના માર્ગનું બીજ પ્રગટ થાય છે. ૨૫ ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્ય દીક્ષાના ગ્રહણથી પણ અને અનુક્રમે વિર્યના ઉલ્લાસથી ઘણા પરમપદને પામેલા છે. ૨૬ અધ્યાત્મના અભ્યાસ વખતે પણ કઈ લેશ માત્ર કિયા વર્તે છે, અને શુભકારી એઘ સંજ્ઞાને સહચારી એવું કાંઈક જ્ઞાન પણ વર્તે છે. ૨૭ એ કારણ માટે તે અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયારૂપે રહેલું છે. તે અધ્યાત્મ દંભ રહિત આચારથી શોભનારા મનુષ્યને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. ૨૮

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542