________________
(૨૩) સંગથી મલિન દેખાય છે એમ જાણી કર્મને નાશ, કર્મને ત્યાગ ને કર્મ ઉપર અભાવ ક્યારે ઉત્પન્ન થશે? ને સર્વ જીવ ઉપર સમભાવ કયારે આવશે ?
હે પ્રભુ! આ ભાવનાઓ, આ મને રથ ને આ વિચારે કયારે પૂર્ણ થશે ને મનુષ્યભવનું સાર્થકપણે કયારે થશે ? નવ તત્વમાંથી બે જાણી, ચાર છાંડી, ત્રણને ગ્રહણ કરવા કયારે યત્ન કરીશ ? હું હમણાં સંવરમાં છું કે આશ્રવમાં છું હું હમણાં નિજ કરૂં છું કે નહિ ? હું હમણાં આશ્રવને ત્યાગ કરૂં છું કે નહિ ? હું હમણું અનિત્ય અશરણાદિ ભાવનાનું ચિંતવન કરૂં છું કે નહિ ? એમ વારંવાર મને કયારે ભાન થશે ? હું કોણ છું? હું કયાંથી થયે ? મારું સત્ય સ્વરૂપ શું છે ? હું ક્યાંથી આવ્યા ને કયાં જઈશ ? મારું શું થશે? આ શરીર શું છે ? આ દુનિયા શું છે ? આ કુટુંબ કોણ છે ? ને મારો આ સર્વ સાથે સંબંધ કેમ થા ? એ સંબંધ સત્ય છે કે અસત્ય ? એ ત્યજું કે રાખું ? આવા વિચારે વિવેકપૂર્વક અને શાંતભાવે કયારે કરીશ? આધ્યાત્મિક જ્ઞાનના તાત્વિક સિદ્ધાંતને અનુભવ કયારે કરીશ ? ને કર્મને સત્વર નાશ ક્યારે કરીશ ?
હે ભગવન્! નવતત્વ ભર્યો પણ નવતરવમય ન થયે - સમાસ ભયે પણ અંતર શત્રુને સમાસ કરતાં ન શિખે,
વીશ દંડક વાયા-વિચાર્યા અને અવેલેકયા પણ અંદરના દંડ મેં ન તજ્યા, જીવના પાંચશે ત્રેસઠ ભેદ વાંચ્યા-વિચાર્યા પણ અભેદમય ન થયો, કર્મગ્રંથ વાંચ્યા પણ કમની પ્રકૃતિને અહોનિશ વિચાર કરી પિતાનામાંથી તે પ્રકૃતિએને ત્યાગ કરવા સમર્થ ન થયે, ઘણાં સિદ્ધાંતે અને શાસ્ત્રો વાંચ્યા પણ તે બધાં ભારરૂપ થયાં, સત્સંગ કર્યો પણ સત્ય જ્ઞાન ન થયું, સદગુરૂ મળ્યા પણ વચ્છેદે ચાલી કદાગ્રહ ન તોયે, હે સર્વજ્ઞ ! આપના ચરિત્ર વાંચ્યાં, સાંભળ્યાં પણ તે વાંચન શ્રવણ માત્ર થયું કારણ કે ભયે પણ ગણ્ય નહિ તેની માફક જાણ્યું પણ આદર્શ નહિ તેથી શું થાય ?