________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
વાજસનેયી-સાયદિન-સંહિતામાં હિરણયસ્તુતિમંત્રો
રક્ષાબંધન-સૂક્ત ' કહે છે. આ ચાર ઋચાઓથી અભિમંત્રિત બે કાળા રુદ્રાક્ષને હાથે બાંધવાનું પણ ત્યાં જાણુવેલું છે. વળી કૌશિકસુત્ર પર/૨૦ માં હિરણ્યમયી રાખડીને આ સૂકથી અભિમંત્રિત કરી હાથે બાંધવાનું અને તે વખતે સ્થાલીપાક કરી વૃતાત ભાતનાં ભજન કરવાનું સૂચવ્યું છે. આજે પણ આપણે ત્યાં બહેને ભાઈઓના આયુષ્યની કામનાથી રક્ષાસૂત્ર બાંધે છે.
હિરણ્યનું મહત્વ અનાદિકાળથી આજસુધી અક્ષરનું રહ્યું છે. યાસ્કાચાર્ય · હિરણ્ય' શબ્દની જે વ્યુત્પત્તિ આપે છે તે યથાર્થ જણાય છે. બ્ધિ માતુ ? દિવસે બાયસ્થમાને યા, તે નાઝનમતિ ચા, હૂિતરનાં માતર , હૃદયરમ મસીતિ વા ! (નિરુક્ત અધ્યાય-૨, પાદ-૩ પૃષ્ઠ ૪૮. કો. ઉમાશંકર ાન ઋષિ સંપાવિત. વ. વિ. મ. થારાજની ૬ ૪૮ ). અર્થાત ' હિરણ્ય' 'કેમ તે લાંબુ કરાય છે, ખેંચાય છે, એક માણસથી બીજા માણસ પાસે પહોંચાડાય છે તેથી. વળી ઔષધરૂપે હિતકારક છે. ઉતર મવતિ ધારણ કરવાથી સુંદર લાગે છે કારમી મવતિ દરેકને તે ( સુવર્ણ) મેળવવાની ઈચ્છા થાય છે તેઃ છેલ્લાર્મળઃ | આમ સુવર્ણની મહત્તા યાસ્કાચાર્ય જણાવે છે.
આયુર્વેદમાં પણ હિરણ્ય'નું ઘણું મહત્ત્વનું સ્થાન છે. હેમચૂર્ણ બાળકને ખવડાવવાથી બળ, બુદ્ધિ અને આયુષ્ય વધે છે. એટલું જ નહિ, પરંતુ સુશ્રુતમાં જ અન્યત્ર સુવર્ણને
સ્વાદયુક્ત, હદયને ગમે તેવું, શરીરને પુષ્ટિ આપનાર, રસાયનરૂપ, દોષ તથા આમયને નાશ કરનારુ, આખને ઠંડક આપનારું તથા વિષવિનાશક પણ કહ્યું છે૧૧. વળી સુવર્ણ ધારણ કરવાના પણ અનેક ગુણે ચરક મુનિએ ચરકસંહિતામાં વર્ણવ્યા છે. સેનું ધારણ કરવાથી મંગળ થાય છે, આયુષ્ય વધે છે. એ સમૃદ્ધિનું પ્રતીક છે, આપત્તિને નાશ કરે છે, હર્ષદાયક છે અને તેજ વધારે છે. તદુપરાંત અન્નમાં વિષ જતું રહ્યું હોય તે “હેમચૂર્ણ'
૮ કોશિક સૂત્ર ૧૧/૧૯.
९ सुवर्ण सुकृत चूर्ण कुण्ठं मधु घृत वचा । मत्स्याक्षकः शंखपुष्पी मधु सर्पिः सकाञ्चनम् ॥ मर्कपुष्पी मधु धतं चूणित कनक वचा । हेमचूर्णानि कैडयः श्वेतदूर्वा घृतं મg | ઘરવારો મિતા: પ્રજ્ઞા: ફોર્ષેડુ જતુકર્ણપિ 1 અમારા વધુમેંદાવનવિવર્ધના: ||
( સુશ્રુત–શારીરસ્થાન અધ્યાય-૧૦, ૧લેક ૬૦થી ૭૦ ). . १. सुवर्ण स्वादु हृद्यञ्च बृंहणीयं रसायनम् । दोषामयापहं शीतं चक्षुष्य . विषसूदनम् ॥
(સુશ્રુત-સૂરસ્થાન અ ૪૬/૩૨૬). ११ धन्यं मङ्गल्यमायुष्यं श्रीमदयसनसूदनम् । हर्षण काम्यमोजस्यं रत्नाभरणधारणम् ॥
(ચરક-સૂત્રસ્થાન ૫/૯૭) रत्नवदाभरणानि - रत्न तु विशुद्धमाणिक्यहीरकमुक्ताफलसुवर्णादि ।।
(કાળ-ચાટીના)
For Private and Personal Use Only