________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ખબરદાન મથક્ષે
રૂઢિ આમ કરતાં બદલવી ન જોઈએ એ પણ તેઓ સાથે સાથે આરહ રાખે છે. “ ગુજરાતી ભાષા અને પારસીઓ” નામના લેખમાં વપરાયેલો “આયદે” “ પારસીઓની ગુજરાતી ભાષા ” માંના આ ઓલાદ અને દાના,” “ તીરયસ્તને અભ્યાસ” લેખમાંના “બસારત, મુવકલ, મબેદ, ગાહાબાર, બહેદાને” અને “ મરહુમ એરવદ એદલજી ક. માદનની પવિત્ર યાદમાં ” નામના લેખમાંના અથરનાન, અહુરા, મજદા, સ્પેન્સામન્યુ, આથવન, દએને, હાદસાએ, શહાદત (સાક્ષી પુરાવાના અર્થમાં), વંદીદાદ, સંફ, અષોજન, રવાન, અહુનવઈતિ ગાથા, તીર ૫૫ વગેરે શબ્દો અપરિચિત હોવાથી સામાન્ય વાચકવર્ગને દુર્બોધ થઈ પડે છે અને તેથી કવિને સરળતાનો સિદ્ધાંત બર આવતું નથી. તેમની ગદ્યશૈલીની આ પણ એક મર્યાદા છે. આ બધી મર્યાદાઓ તેમની પ્રકૃતિના પ્રતિબિંબરૂપ છે અને બ. ક. ઠાકોર કહે છે તેમ કોઇ પણ માણસની શૈલીમાં તેની પ્રકૃતિનું પ્રતિબિંબ ઊડ્યા વગર રહેતું ન હોવાથી કેટલેક અંશે આ મર્યાદાઓ સ્વભાવિક બને છે.
૬ “ામ્ર' યમી વાયરચના
ખબરકારના ગવમાં અપમયોગે જોવા મળે છે અને કયારેક તેમની વાક્યરચનામાં અન્વયને ગૂંચવાડે હોય છે. આ કારણથી શ્રી જહાંગીર સંજાના તેમની વાક્યરચનાને “ધૂઝ” જેવી કહે છે. ૧ એના સમર્થનમાં ખબરદારે “મહાછંદની ચર્ચા અને સંજાનાના પરપોટા” ના લેખમાં વાપરેલાં નીચેનાં વાકયે તેઓ ટાંકી બતાવે છે
૧ “ એમની કટિલ ટીકાનું દર્શન તે એ કહે છે કે મારાં વ્યાખ્યા કરવાને એક મુખ્ય આશય મારા “ મહાછંદ ઉકે ગુજરાતી “ બ્લેકવર્સ ” ની જાહેરાત કરવાનો હતો.” ૨ શ્રી સંજના કે કંઈ મારુ એ આખું વ્યાખ્યાન વાંચે તેમાંથી એઓ જે ભાવ કે અર્થ કાઢી બતાવવા ઈચ્છે છે, તે નીકળતું નથી.” ૩ “ ગુજરાતના માનનીય વૈયાકરણાઓ, જેઓ ગુજરાતી શબ્દોના શુદ્ધ ઉચ્ચાર કેમ થાય છે તે બતાવી આપવાના જોખમદાર છે, અને તેમણે જ ને દષ્ટાંત આપીને આ અસ્વરિત અતિએ બતાવી આપી છે. તે પછી શ્રી સંજાના મારા આ પુનર્વિધાનને “બમજનક” શા માટે કહે છે ?” ૪૨૫
આ પ્રકારની અમાસાદિક વાયરચના તેમના ગદ્યમાં કયારેક જોવા મળે છે અને તે તેમના ગદ્યમાં ક્ષતિરૂપ થઈ પડે છે.
૨. દેસાઈ રમણલાલ હ. 'દિવ્યચક્ષુ', પ્રકાશક-આર. આર. શેઠની કં, મુંબઈ-૨, આવૃત્તિ-૧૧, ઈ. સ. ૧૯૦, પ્રવેશક-૫. ૨.
૨૪ સંખના જહાંગીર, “ગુજરાતી ... અઠવાડિક, તત્રી-દેસાઈ નટવરલાલ ઈશારામ, વર્ષ૨૨, અં-૧૭, તા. ૪ મે, ૧૯૪૧, ૫. ૧૫.
૨૫ ખબરદાર અરદેશર ફ. “ગુજરાતી” અઠવાડિક, તંત્રી-દેસાઈ નટરલાલ ઈચ્છા રામ વર્ષ-૨૨, અંક-૧૫, તા. ૨૯ એપ્રિલ, ૧૯૪૧, પૃ. ૨૨.
For Private and Personal Use Only