Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારડી ખેડત્યાગ્રહ - ૧લી સપ્ટેમ્બર, ૧૯૬૦ પારડી મુકામે મળેલી પી. એ, પી.ની કારોબારીમાં સરકાર સાથે થયેલી મંત્રણાની ચર્ચા કરવામાં આવી અને તા. ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ પયિામાં વેલવાગડ મુકામે ફરીથી રેલી યોજવાનું નક્કી થયું. સરકારે “જિલ્લા વિકાસદળ”ની રચના કરી. પરંતુ તેમાં અહીંના કોઈ પ્રતિનિધિને સ્થાન ન આપ્યું. ૧૯૬૧ :–સરકારની શુભનિધામાં વિશ્વાસ મૂકી સત્યાગ્રહ છેડા સમય માટે સ્થિગિત કર્યો. - ૧૯૬૨ માર્ચ ૧૯૬૨માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી થઈ. પારડી સત્યાગ્રહના બે મુખ્ય નેતા શ્રી ઈશ્વરભાઈ ગાદેવીમાંથી અને શ્રી ઉત્તમભાઈ પારડી વિભાગમાંથી પી. એસ. પી. પક્ષમાંથી ચૂંટાયા. પારડીમાં શ્રી રામભાઈ કાંગષના અમેદવાર સામે વિજયી બન્યા હતા એટલે પારડી તાલુકાની પ્રજાને આ ખેડ સત્યાગ્રહને ટેકો હતો એમ સ્પષ્ટ થતું હતું. ૧લી સપ્ટેમ્બર ૧૯૬૨ :– ૧લી સપ્ટેમ્બરની કિસાનરેલીમાં સરકારને એક વર્ષમાં પારડીને પ્રશ્ન ઉકેલવા આખરીનામું આપવામાં આવ્યું. સરકાર પારડી તાલુકાની જમીનની મજણુનું કામ હાથ ધર્યું. - ૧લી સપ્ટેમ્બર ૧૯૬a :-૧લી તારીખની રેલીમાં અખિલ ભારત પી. એસ. પી.ના મહામંત્રી શ્રી પ્રેમભાસિન આવ્યા હતા. આ રેલીમાં સરકારને ફરીથી આખરીનામું આપવામાં આવ્યું અને ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૩ના દિવસથી સામુદાયિક ધોરણે શરીથી અનખેડા સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી થયું. તેને કાર્યક્રમ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા. કાર્યક્રમ -. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૬૩-મંગળવાર મલાવ ગામે સત્યાગ્રહ. ૨. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૬૩-રવિવાર–મોટાપોંઢા ગામે સત્યાગ્રહ ૩. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૩-શુક્રવાર– વિગડમાળ (પારડી) ખાતે મહિલા સત્યાગ્રહ ૪. ૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૭-સોમવાર–નવાડા ગામે સત્યાગ્રહ ૫. ૨ ઓકટોબર, ૧૯૬૩-બુધવાર એક સાથે નક્કી કરેલાં દસ ગામમાં સામુદાયિક સત્યાગ્રહ. -કોપરલી-ધડકવા-મલાવ દ ગામ –પારડી ઉમરીગરને પહાડ-ગામ-ચીખા -મોટાઢા-ધગડમાળ-ગરીસેનવાડા. આ વ્યાપક સત્યાગ્રહની જાહેરાતથી વાતાવરણ તંગ બન્યું અને આખરીનામાને જવાબ સરકારે મનાઈ હુકમ પ્રગટ કરીને આગે. તા. ૫ સપ્ટેમ્બર, ૧૯૬૩ સુરત જિલ્લાના કલેકટરે પારડી-ધરમપુર વિસ્તારમાં હથિયાર સાથે કરવાની અને સુત્રોચાર કરવાની મનાઈ ફરમાવી. તા. ૮ સપ્ટેમ્બર, ૧૯૬૩ ના રોજ સરકારે એક જાહેર નિવેદન બહાર પાડયું. તેમાં જણાવ્યું કે, “૧૦ સપ્ટેમ્બર થી શરૂ થનાર ખેડસત્યાગ્રહના વિચારને અમલમાં મૂકવાનું સલાહ ભર્યું નથી. તેનાથી અશાંતિ સર્જાશે. બંધારણ અનુસાર ખાનગી માલિકીની જમીન કાયદામાં જણાવેલ સ્વા, ૧૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139