Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવાપાંજલિ આ લેખનપ્રવૃત્તિઓમાં તેમને ઘણો સમય જતે હો, તદુપરાંત શિક્ષક તરીકે પણ તેઓ કામ કરતા. ઠીંગણી કાયાવાળા સેમાભાઈનું શારીરિક વ્યક્તિ તંદુરસ્ત પણું એાછું પ્રભાવશાળી હતું. તે પ્રભાવની ખેટ એમની બુદ્ધિની તેજસ્વિતા, તેમની વિનોદ કરવાની અને વિનોદ સહન કરવાની વૃત્તિ પૂર્ણ કરતી. વિદ્યાર્થીઓ તરફની તેમની સદભાવના, તેમને મદદ કરવાની તેમની તૈયારીને લીધે સમભાઈ નાના મોટા વિદ્યાર્થીઓની પ્રીતિ સંપાદન કરતા. તેમના કાર્યક્ષેત્રમાં એમ. એ. સુધીનાં વ્યાખ્યાનો સમાવેશ થતો. તેમની શિક્ષણશાસ્ત્રની બી. એ. અને એમ. એડ. ડીગ્રી માટે કરેલી કામગીરી માટે તેઓ સંગ્રહાલયમાંથી ચિત્રો આદિ એકત્ર કરીને તેમને શિક્ષકોને પ્રભાવિત કરતા એટલું જ નહીં પણ તેમનાં વ્યાખ્યામાં પણ મતગત સામગ્રીને યથાસ્થાને ઉપયોગ કરતા. આ સામગ્રીને ઉપયોગ કરવાની તેમની ભાવના પરથી તેમને મૂર્તિશાસ્ત્ર જેવા ક્ષેત્રમાં રસ વધે હતો અને ડે. ઉમાકાન્ત શાહની પ્રેરણાથી તે વિષયમાં સારી પ્રગતિ કરી હતી. તેમના પુત્ર હૈ. વસંત પારેખના શૈવમૂર્તિઓના અધ્યયન વખતે પણ તેમને આ વિષયને ઉત્સાહ સ્પષ્ટ થત હતા. એ વિષય અંગેનાં પુરતકો વાંચવાં, ચિત્રો જોવાં તથા મૂર્તિઓ જેવી આદિ તેમની પ્રવૃત્તિઓ માં તેમના શિક્ષક અને અન્વેક્ષક સ્વભાવનું સારું પ્રતિબિંબ પડતું. આવા ક્ષેત્રમાં પ્રદર્શન યોજવાં, પ્રદર્શનમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં પણ સમભાઈ પારેખને ઉત્સાહ ઘણે ઉપયોગી નીવડતો. પ્રદર્શનનાં લખાણો. લેબલો આદિની ગુજરાતી ભાષા તપાસી જવી, તેની જોડણીની શુદ્ધિ આદિ નાનાં મોટાં અનેક કાર્યોમાં તેમની મુક સેવાઓ વડોદરા વિશ્વવિદ્યાલયમાં મહત્ત્વનું ચગદાન બની રહેતી હતી. આમ વિદ્યાકીય ક્ષેત્રમાં કાર્ય રત છે. સોમાભાઈ પારેખનું જીવન સાદાઈપૂર્ણ હતું. પ્રાથમિક શિક્ષક તરીકે સકરછ ધોતિયું, બંધ કોલરને જોધપુરી ઢબને કોટ અને સફેદ ટોપી એમને પોશાક હતો તે બદલીને બહાર ખુશશર્ટ અને પાટલુને પહેરનાર સોમાભાઈ ધરમાં સાદાં વચ્ચે પહેરતા. ખોરાક સંપૂર્ણ શાકાહારી. તેમને ખીચડી અને શીરે ઘણાં પ્રિય હતાં. તેઓ મહેમાનગતિ પણ સારી કરતા. તથા પોતાના મિત્રવર્તુળમાં હમેશાં મદદગાર થવાની કોશિશ કરતા. તેમના મિત્રોને તેમણે ઘરકામમાં, સામાજિક કામમાં અનેક પ્રકારની સહાય આપી હતી. તેઓ બાળકો પ્રત્યે મમતાળુ વર્તન રાખતા હેવાથી સોમાકાકાની હાજરી બાળકોમાં અપૂર્વ ઉત્સાહ જગાડતી. મકરસંક્રાતિ પર પતંગ ઉડાડવાની તેમની મર્યાદિત આવડત તેમના અપૂર્વ ઉત્સાહથી ઢંકાઈ જતી. તેમનું કૌટુંબિક જીવન પણ સામાન્યતઃ આનંદપૂર્વક વ્યતીત થયું હતું. પરંતુ તેમની પુત્રીની માનસિક અસ્વસ્થતાથી સોમાભાઈ પર શોકની છાયા રહેતી હતી, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139