Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન વિશ્વ: એક વિહંગાવલોકન હતાં; ભદ્રેશ્વર, પારાદીપ (ઓરિસ્સા), ભરૂચ, સુરત, ખંભાત, ચીન, ગોવા તથા વિદેશોમાં અલેકઝાન્ડ્રિવા, ટાયર, સીડેન, કાયેંજ, વેનીસ, જિનોઆ, લંડન, માર્સેસ આદિ ઉભયપત્તન હતાં. " ... " પ્રારંભનાં શાસન એ નગરરાજ હતાં-પ્રજાતંત્રો હતાં. ભારતમાં અનેક નગરરાજ્યના ઉલ્લેખો વિશેષતઃ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં મળે છે. યાદવોનું ગણરાજ્ય હતું; મહાવીરના પિતા વૈશાલીના ગણરાજ્યના એક અગ્રણી હતા પણ મોર્ય અને ગુપ્ત સામ્રાજ્યના વિસ્તારવાદે ગણરાજ્યોને વિનાશ કર્યો, એ ઘટનાનું કલાત્મક નિરૂપણ “ દર્શક’ની નવલકથા “દીપનિર્વાણ'માં છે. જે વ્યવસ્થાશીલ પ્રચંડ વિજેતા અને વીરત્વના તપખા જેવા રાજવીઓના સંધર્ષમાં અનેક મહાકાવ્યોની સામગ્રી પડી છે”—“જય સોમનાથ' નવલકથાની પ્રસ્તાવનામાં મુનશીનું વાક્ય અહીં યાદ આવે છે.. ગ્રીસનાં નગરરાજે આધુનિક અર્થમાં લોકશાહી રાજે (Democratic States) નહિ, પણ અમીરશાહી રાજ (Plutocracy) હતાં; એમાં નાગરિકે કરતાં ગુલામોની સંખ્યા વધારે હતી ! શિક્ષક, વૈદ્યો અને ફિલસૂફ પડ્યું મોટે ભાગે ગુલામ હતા અને અમુક શરતેએ તેઓ સ્વતંત્ર થઈ શક્તા. (ગુલામે અને તેમની સ્વતંત્રતા વિષે કોટિલ્યના અર્થશાસ્ત્ર'માં પણ પ્રકરણ છે). મીક રાજ્ય મંયકાલીન ભારતનાં રાજપૂત રાજ્યની જેમ-અંદરોદર બાખડયા કરતાં પણ પરચાની સામે મેટે ભાગે એક થઈ જતાં. બોફરન્સની સામુદ્રધુની-જેને શ્રી કે “હેલેન્ટ' તરીકે ઓળખતા–આગળ ઈરાની સમ્રાટ દારાના લાખોના સુસજજ સૈન્યને પ્રકાએ હરાવ્યું ત્યારે એક ગ્રીક આગેવાને ઉદ્દગાર કાઢયો હતો કે “ઈરાની સમ્રાટ આપણી ગરીબી લુંટવા આવ્યા હતા ! ” મહાન અલેકઝાન્ડર-સિકંદરે-ઇજિપ્તના ઉત્તર કિનારે અલેકઝા િનગર વસાવ્યું, એ પ્રીક અને આરબ સંસ્કૃતિનું વિશિષ્ટ દ્રાવણપાત્ર તથા વિદ્યા અને સંસ્કૃતિ કેન્દ્ર હતું. પ્રાચીન જગતનું કદાચ સૌથી વિશાળ પુસ્તકાલય ત્યારે હતું. કહેવાય છે કે એક ખલિફાએ તે બાળી નાખ્યું. (એ માટેની પેચીદી દલીલ-Dilemma-એવી છે કે આ પુસ્તકમાં જે કંઈ હોય તે કુરાનમાં પડ્યું હોય તે આ પુસ્તકાલયની જરૂર નથી અને કુરાનમાં જે નથી તે આમાં હોય તે પણ એની જરૂર નથી !) ખલીફાઓના સમયમાં રાજસત્તા અને ધર્મસત્તા એક હતી-શાસક ધર્મગુરુ પણ હતા (Theocracy); શીખ ગુરુઓની પણ ધર્મસત્તા હતી. મોટા ભાગના પાશ્ચાત્ય વિદ્વાનોએ એમ માન્યું છે કે આર્યો મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા; ને એ માટે કશે એતિહાસિક આધાર આજ સુધી કોઈ એ આ નથી! વરુણ અને નાસત્ય (બે અશ્વિનીકુમાર ) એ વૈદિક દેવના સંમાનપૂર્વક ઉલેખ એશિયા માઈનરમાં બાગાઝકઈ પાસેની ગુફામાં છે. લોકમાન્ય ટિળક (Orion and Arctic Home in the Vedas), હર્મન યાકોબી (ભારતીય ખગોળશામ વિષે તેમને જર્મને મહાનિબંધ ), ડચ વિધાન જે, પોન્ડા-J. Gonda–ને સદૂગત છે. રઘુવીરે પ્રગટ કરેલ અન્ય Sanskrit in Indonesia For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139