Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ કરે છd Of 'G' G 'C' કહ્યું કે ભાઈ ! પુરેપુરો વંચાય તેવું કંઈ લાગતું નથી. જેમને શાન્તસુધારસ ઉપર ઉંડી આસ્થા છે. જે એના વ્યાખ્યાન કે વાંચનમાં ડૂબી જાય છે. એવા પ્રવીણભાઈ કહે જ્યાં સુધી ગ્રન્થ પૂરો નહિ થાય ત્યાં સુધી અમે આપને વિહાર નહિ કરવા દઈએ. આ એમનો લાગણી ભર્યો અવાજ હતો. અને આ વ્યાખ્યાન ગ્રન્થસ્થ પણ કરવાનું છે માટે આપ એનું લખાણ પણ કરજો. છેવટે ચાતુર્માસના અંતિમ દિવસે શાન્ત સુધારસ ગ્રન્થ તો સંપૂર્ણ કર્યો પણ પુસ્તક છપાવવાની એમની વાત એ વખતે મેં સ્વીકારી નહિ. | સંઘના પ્રમુખશ્રી ભીખુભાઈ આદિ તમામ ભાવિકોએ આ અંગે ખૂબ જ આગ્રહ કર્યો કે સાહેબ આપ પુસ્તક તૈયાર કરો. વ્યાખ્યાનનો તમામ વિષય તેમાં આવરી લેવામાં આવે. લખવાની લાંબી ટેવ નહિ અને આટલું વિસ્તૃત આવા ગૌરવશાળી ગ્રન્થ ઉપર લખવું. તે મારા ગજા બહારની વાત હતી. છતાં સંઘનો અતિ આગ્રહ જોઈ લખવાની હા પાડી... બાકીની તમામ જવાબદારી દેવકીનંદન સંઘે ઉપાડી લીધી. અને કારતક સુદ-૧૫ ના દિવસે દેવકીનંદન સંઘના ઇતિહાસના સુવર્ણપૃષ્ઠમાં ચાતુર્માસ પરિવર્તનનું એક ઐતિહાસિક પૃષ્ઠ ઉમેરાયું. ચેતન્ય સોસાયટીમાં શ્રી હસમુખભાઈ ચુનીલાલ પરિવારે ઓદાર્થપૂર્ણ લાભ લીધો. તે અવસરે શાન્તસુધારસ ગ્રન્થ અંગે ટહેલ નાંખતા ફક્ત પાંચ જ મિનિટમાં જરૂરી ફંડ સંપ્રાપ્ત થઈ ગયું. આ ચાતુર્માસ પૂર્ણ થતાં મહોત્સવ તેમજ દીક્ષાઓના પ્રસંગે સુરત - મુંબઈ જવાનું થયું. જઈને ચાતુર્માસાર્થે પુનઃ અમદાવાદ જ આવવાનું હતું. એટલે વિહારના જે ચારેક મહિના મળ્યા એ શાન્ત-પ્રશાન્ત અમે રળિયામણા દિવસોમાં કાગળ ઉપર શાન્તસુધારસને શબ્દ દેહ અપાતો ગયો. જેમ જેમ લખાતું ગયું તેમ તેમ ઉત્સાહ વધતો ગયો નવી નવી ભાષા અને નવનવા શબ્દોથી ગ્રન્થ સમૃદ્ધ બનતો ગયો. 'C' 'D દક . 7 5. D

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 218