________________
श्रीसप्तभङ्गीविंशिका-७
सामानाधिकरण्यसम्बन्धेन ज्ञेयं), घटे विशेष्यस्य मृन्मयत्वस्य सत्त्वेऽपि विशेषणस्य चतुष्कोणत्वस्याभावाद्विशेषणाभावप्रयुक्तविशिष्टाभावस्य सत्त्वात् । ततश्च द्वितीयेन भङ्गेनैव जिज्ञासायास्तृप्तत्वादलं तृतीयेन भङ्गेनेति चेत् ? ॥७॥ जिज्ञासायास्तदुत्तरजन्यायास्तृप्तेरयथार्थत्वान्न द्वितीयोभङ्गोऽत्र समीचीन इति समाधातुमाह बोध इत्यादि
३४
‘ત્યાં પાણીવાળો ઘડો છે?’ તો જવાબમાં ‘નથી' (ગતવાન્ ટો નાસ્તિ) એમ જ કહેવાય છે. એમ પ્રસ્તુતમાં પણ, ‘ઘડામાં ચતુષ્કોણકાર વિશિષ્ટ મૃયત્વ છે' આવો જ પ્રશ્ન ફલિત થતો હોવાથી જવાબમાં ‘નથી' કહી દેવાથી વાત પતી જાય છે. આશય એ છે કે જેમ વિક્ષિત સ્થળે ઘડો (=વિશેષ્ય) છે, પણ પાણી (=વિશેષણ) નથી તો ‘પાણીવાળો ઘડો છે?’ એવા પ્રશ્નના જવાબમાં ‘પાણીવાળો ઘડો નથી જ' એમ જ કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં, અધિકૃતઘડામાં મૃયત્વ (=વિશેષ્ય) છે, પણ ચતુષ્કોણાકાર (=વિશેષણ) નથી, તો ‘ચતુષ્કોણાકાર વિશિષ્ટ મૃત્મયત્વ છે?’ અર્થાત્ ‘ઘડો ચોરસમૃન્મય છે?” આવા પ્રશ્નના જવાબમાં પણ ‘ચતુષ્કોણાકાર વિશિષ્ટ મૃન્મયત્વ નથી જ' અર્થાત્ ‘ઘડો ચોરસ મૃન્મય નથી જ' આવું જ કહેવું જોઈએ. અને તેથી યાશાસ્ત્યવ એવો બીજો ભંગ કહી શકાતો હોવાથી આ ત્રીજો નવો ભંગ કહેવાની શી જરૂર છે? ॥૭॥ તમારી શંકા મુજબ બીજા ભંગનો જવાબ આપવાથી જિજ્ઞાસાની જે તૃપ્તિ થાય છે તે યથાર્થ નથી હોતી, માટે અહીં બીજો ભંગ ઉચિત નથી, એવું સમાધાન આપવા કહે છે
૧. ન્યાયની પરિભાષાના અજાણ અધ્યેતાઓ માટે - માટીના ચોરસ ઘડામાં ચતુષ્કોણાકાર પણ છે ને મૃત્મયત્વ પણ છે... એટલે, આ ચતુષ્કોણાકાર અને મૃત્મયત્વ સમાન=એક છે અધિકરણ જેનું એવા સમાસવિગ્રહથી પરસ્પર સમાનાધિકરણ કહેવાય છે. અને તેથી ન્યાયદર્શનની પરિભાષા મુજબ સામાનાધિકરણ્યસંબંધથી અહીં ચતુષ્કોણાકારવિશિષ્ટમૃત્મયત્વ કહેવાય છે. એટલે ‘ઘડો ચોરસમૃન્મય છે?” આવો પ્રશ્ન ઘડામાં ચતુષ્કોણાકાર વિશિષ્ટ મૃત્મયત્વ છે?' આવા પ્રશ્નરૂપ જ બની જાય છે... આમાં વિશિષ્ટ=વાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org