Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 268
________________ સાધુના આચારોનું વર્ણન | ૨૪૫ ૨૪૫ આ પિંડ દોષોની વિભાગ વડે સંખ્યાને કહે છે. सोलस उग्गमदोसा, सोलस उप्पायणाए दोसा उ । दस एसणाइ दोसा, बायालीसं इइ हवंति ।।५।। (११९) ગાથાર્થ : સોલ ઉદ્ગમના દોષો, સોલ ઉત્પાદના દોષો અને દસ એષણાના દોષો આ પ્રમાણે બેતાલીસ દોષો થાય છે. ત્યાં ઉદ્મ ના દોષો કહે છે. 'आहाकम्मुद्देसिय', पूईकम्मे य मीसजाएं य । ઢવાપાડયા', “પામોનરીક્વામિ' સાદા (૨૦) "परियट्टिए अभिहडु-ब्मिन्न मालोहडे५२ इ य । "अच्छिज्जे °१५अणिसट्टे, अज्झोयर एय 'सोलसमे ।।७।। (१२१) ગાથાર્થ : આધાકર્મ, દેશિક, પૂતીકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિક, પ્રાદુષ્કરણ, ક્રિીત, પ્રામિત્ય, પરાવર્તિત, અભ્યાહત, ઉર્ભિન્ન માલાપહત, આછઘ, અનિસૃષ્ટ, અધ્યવપૂરક, આ સોળ ઉદ્ગમના દોષો છે. ભાવાર્થ ઃ (૧) યતિનો મનમાં સંકલ્પ કરીને પકાયનાં આરંભ વડે પચન-પાચન આદિ કરવું તે આધાકર્મ. (૨) જે પૂર્વે કરેલ ઓદન અને લાડવાના ચૂર્ણાદિને સાધુના ઉદ્દેશ વડે દહીં અને ગોળાદિના પાક વડે સંસ્કાર કરાય તે ઔદેશિક. (૩) અશુચીના અંશ વડે જેમ આહાર અપવિત્ર થાય તેમ આધાકર્માદિના અંશ વડે વિશુદ્ધ એવા પણ આહારાદિ અપવિત્ર કરાય તે પૂતિકર્મ. (૪) જે પોતાને માટે અને સાધુને માટે પહેલેથી જ મિશ્ર કરીને રાંધેલુ હોય તે મિશ્રજાત. (૫) સાધુના માટે અમુક કાળ સુધી દૂધાદિ રાખી મૂકવા તે સ્થાપના. (૯) ગુરુઓ પછી આવશે અથવા તો આવેલા છે એ પ્રમાણે વિચારીને વિશિષ્ટ અશનાદિ ગુરુને આપી શકાય માટે વિવાદાદિ ઉત્સવ પહેલા કરવો અથવા પછી કરવો તે પ્રાભૃતિકા. (૭) અંધકારમાં રહેલા આહારાદિને સાધુને માટે બહાર સ્થાપવા અથવા ઝરુખાદિ ખોલીને કે કરાવીને પ્રકાશ કરવો તે પ્રાદુષ્કરણ. (૮) સાધુને માટે મૂલ્ય વડે જે ખરીદાય તે ક્રત. (૯) સાધુને આપવા યોગ્ય ઊછીનું લેવું. સાધુને માટે ઊછીનું લઈને જે અપાય તે મામિત્ય. (૧૦) કોદ્રવાદિ અન્યને આપીને શાલ્યાદિ (ચોખાદિ) પરાવર્તન એટલે અદલાબદલી કરીને લેવાય તે પરાવર્તિત. (૧૧) સ્વગામ અથવા પરગામથી સાધુને માટે લવાય તે અભ્યાહત. (૧૨) સાધુને માટે માટી આદિથી ઢાંકેલા વાસણને ખોલીને અથવા નહિ વપરાતા એવા કબાટાદિને ઉઘાડીને જે અપાય તે ઉભિન્ન. (૧૩) શિકાદિ ઉપરથી અથવા ભોયરાદિમાંથી સાધુને માટે લવાય તે માલાપહૃત. આના ઉપલક્ષણથી દુઃખે કરીને ગ્રહણ કરી શકાય તેવા કોઈપણ સ્થાનથી લાવી આપવું તે પણ આ દોષમાં ગણવું. (૧૪) પુત્ર-પત્ની, નોકરાદિ સંબંધી વસ્તુ તેમની પાસેથી છીનવીને સ્વામી સાધુને આપે તે આછેદ્ય. (૧૫) વસ્તુના ઘણા સ્વામી હોય તેવી વસ્તુ એકની પાસેથી ગ્રહણ કરવી તે અનિસૃષ્ટ, (૧૬) પોતાને માટે બનાવેલું હોય અને સાધુઓ આવ્યા છે તેમ સાંભળીને તે સાધુને ઉદ્દેશીને પોતાને માટે રાંધેલ ધાન્યમાં અધિક ધાન્ય ઉમેરવું તે અધ્યવપૂરક. આ ઉદ્ગમના દોષો પિંડની ઉત્પત્તિમાં ગૃહસ્થ વડે સાધુના માટે કરાતા હોવાથી તે ઉદ્દગમના દોષો કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386