________________
૨૦૮૪
સમ્યક્ત્વ પ્રકરણ
આજ અર્થને ભાવતા કહે છે.
जो भइ नत्थि धम्मो, न य सामइयं न चेव य वयाइं ।
સો સમળસંઘનન્નો, હાયવ્યો સમળસંયેળ ।।૬।। (૭૦)
ગાથાર્થ : જે કહે છે કે વર્તમાનમાં ધર્મ નથી, સામાયિક નથી અને વ્રતો નથી તે (પુરુષ) શ્રમણ સંઘ વડે સંઘની બહાર કરવા યોગ્ય છે. ૫૬(૧૯૭૦)
ભાવાર્થ : સ્પષ્ટ છે. ૫૬ા(૧૭૦)
શા માટે તે બહાર કરવા યોગ્ય છે તો કહે છે.
दुप्पसहंतं चरणं, जं भणियं भगवया इह खेत्ते ।
आणाजुत्ताणमिणं, न होइ अहुणत्ति वा मोहो ।।५७।। (१७१)
ગાથાર્થ : આ ભરત ક્ષેત્રમાં દુપ્પસહસૂરિજી સુધી આજ્ઞાયુક્ત સાધુઓને જે ચારિત્ર ભગવંત વડે કહેવાયું છે. તે વર્તમાનકાળે નથી આવું બોલવું કે માનવું તે મૂઢતા છે. II૫૭૧૭૧||
ભાવાર્થ : દુપ્પસહસૂરિશ્વરજી સુધી આજ્ઞાયુક્ત સાધુઓને ચારિત્ર જે કારણથી શ્રીવીર સ્વામી વડે અહીં ભરત ક્ષેત્રમાં કહેવાયેલું છે. તેથી હમણાં અહીં આ ચારિત્ર નથી આવા પ્રકારની જેની મતિ છે તે તેની મૂઢતા છે. તે સંઘની બહાર કરવા યોગ્ય છે. આ પ્રમાણેનો અર્થ છે. ।।૫।।૧૭૧
તેવા પ્રકારની બુદ્ધિ અને બલાદિના અભાવથી કેવી રીતે હમણાં ચારિત્રનો સંભવ છે ? તો કહે છે. कालोचियजयणाए, मच्छररहियाण उज्जमंताणं ।
નાનત્તારદિયાળ, હોર્ નાં નર્ફન સા ।।૮।। (૭૨)
ગાથાર્થ : કાલને ઉચિત જયણાથી જીવનારા, માત્સર્ય રહિત ધર્માનુષ્ઠાનોમાં ઉદ્યમવંતને અને જનસમાગમથી રહિત યતિઓને હંમેશાં ચારિત્ર હોય છે.
ભાવાર્થ : સુગમ છે. વિશેષ એ કે જનયાત્રા રહિત એટલે પ્રત્યુપકાર (વિનય વિશેષ છે) સુખદુઃખની ચિંતા કરવી વિગેરે લોકવ્યવહારથી મુક્ત થયેલાઓને, જ્યાં સુધી તીર્થ હોય ત્યાં સુધી ચારિત્ર હોય છે.
।।૫૮||૧૭૨॥
આજ અર્થને સમર્થન કરતા કહે છે.
न विणा तित्थं नियंठेहिं, ना तित्था य नियंठया ।
छक्कायसंजमो जाव, ताव अणुसज्जणा दुण्हं ।। ५९ ।। (१७३)
ગાથાર્થ : સામાન્યથી નિગ્રંથ વિના તીર્થ નથી અને તીર્થ વિના નિગ્રંથો નથી. છકાયનું સંયમ જ્યાં સુધી છે ત્યાં સુધી તીર્થ અને નિગ્રંથ, એ બંન્નેનો પરસ્પર સંબંધ ટકે છે.