Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 342
________________ તામલિ તાપસનું દષ્ટાંત ૩૧૯ I/૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩તેના સર્વે કષ્ટના સમૂહને અનુમોદના કરતો જન તે તામલી ઋષિને નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયો. ૨૪ ત્યાર પછી તે તામલી ઋષિએ સાઠ હજાર વર્ષ સુધી તે સર્વે તપને નિર્વહન કર્યો. મહાઋષિઓ સત્ય પ્રતિજ્ઞાવાળા હોય છે. રપા હવે આ પ્રમાણે વિચાર્યું કે મારા વડે લાંબાકાળ સુધી તપ તપાયો હમણાં મારી કાયા ચર્મ અને હાડકાવાળી શુષ્ક પ્રાય થઈ છે. //રવા/ તેથી પાકા ફલની જેમ જ્યાં સુધી મારી કાયા પડે નહિ ત્યાં સુધી આરાધનાપૂર્વક આ કાયાને હું ત્યજું . //ર૭ી આ પ્રમાણે વિચારીને પોતાની કાયાને તજવાની ઈચ્છાવાળો, શુદ્ધાત્મા એવો તે તાલી પોતાની તામલિપ્તી નગરીમાં આવ્યો. ll૨૮હવે ત્યાં જ્ઞાતિજનોને પૂછીને અને ખમાવીને ત્યાં પૂર્વના પરિચિત અને પછીના પરિચિત એવા ગૃહસ્થો અને પાખંડીઓને ખમાવીને હવે ગંગાની નજીક પાછા આવીને અનશનને કરીને બુદ્ધિશાળી એવા તેણે એકાંત પ્રદેશમાં પાદપોપગમન અનશનને કર્યું ||૨૯, ૩૦Iી અને આ બાજુ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉત્તર દિશામાં હજાર યોજન વડે બલિચંચા નામની નગરી છે. ૩૧// ભવનના અધિપતિ અસુર દેવોની નિવાસભૂમિ જે અસુરોના ઈન્દ્ર બલિન્દ્રની હંમેશાં રાજધાની હતી Il૩રાઈ ત્યારે તે નગરી વેલા ઈંદ્ર વડે રાજા વિનાની થયે છતે ત્યાં રહેલા સર્વે દેવ અને દેવીઓ દુઃખી થયા. ll૩૩ll હવે તે લોકોએ આઓમાંથી અમારો સ્વામી કોણ થશે ? આ પ્રમાણેની ચિંતા વડે અવધિજ્ઞાનથી મનુષ્યલોકમાં રહેલા ધાર્મિકોને જોયા. ll૩૪ll હવે તેઓએ ઉગ્ર એવા અજ્ઞાન તપ વડે પણ ઉપાર્જન કરેલા શ્રેષ્ઠ પુણ્યવાળા બાલ તપસ્વી તામડી મુનિને જોયા. રૂપા ત્યારે કરેલા સંન્યાસવાળા, પોતાના શરીરમાં પણ આશા રહિત, આત્મામાં લીન થયેલા, પ્રાય: કરીને વિલીન થઈ ગયા છે પાપ જેના એવા તે મુનિ હતા. li૩૦ાા ત્યાર બાદ ત્યાં સર્વે પણ મહાઋદ્ધિવાળા તે અસુરોએ તે મુનિના મનને વશ કરવા માટે સંગીતને કર્યું. ૩૭ી ત્યાં ગાયકો રસથી મનોહર એવા ગીતોને ગાતા હતા અને લય ભાવના રસ વડે મનોહર રીતે અસુરની સ્ત્રીઓ નૃત્ય કરતી હતી. //૩૮ગાંડાની ચેષ્ટા સમાન નૃત્યને, વિલપિતની ઉપમાવાળા, સંગીતને વિચારતો એવો તામલી તાપસ જરા પણ રાગી ન થયો. ૩૯ સંગીતને અંતે વિનયથી નમેલા પોતાની દીનતાને પ્રકાશતા અશ્રુ સહિતના નેત્રવાળા તે સર્વેએ તામલીને વિજ્ઞપ્તિ કરી. ll૪ll હે ભગવનું ! બલિચંચા નગરીમાં વસનારા અમે અસુરો ભાગ્યથી સ્વામી રહિતના થયેલા તમને સ્મરણ કરીને આવેલા છીએ. ૪૧હે તપોનિધિ જેથી પરોપકારને કરનાર તું જ છે. દીનોને વિષે તારી જ દયા છે. આપ જ દાક્ષિણ્યના ભંડાર છો. I૪રા તેથી તું આજે નિયાણાને કરીને અસુરેન્દ્રપણાને પામીને હે પ્રભુ ! અમારા ચિંતિતને પૂરનાર ચિંતામણી થા. I૪all અને વળી, હે સ્વામી ! આ પ્રમાણે તમારો ઘણો સ્વાર્થ પણ થશે, જે કારણથી અમે સર્વે તારા સેવકો થઈશું. ll૪૪ દેવલોકના સૌંદર્યથી લાવણ્યની મૂર્તિ સમાન, સંસારના સુખના સમૂહના સર્વસ્વની નિધિના ભૂમિસમાન સર્વ પ્રકારે સુખ આપનારી જાણે અમૃતમય ન હોય તેવી, જગત વડે ઈચ્છવા યોગ્ય એવી આ અસુરાંગનાઓ હે પ્રભુ ! તારી પત્નીઓ થશે. II૪૫, ૪૬ો તેથી અમારી પ્રાર્થના વડે હમણાં તું અસુરેન્દ્ર થા. આ જન સનાથ થાઓ. વળી અમારી નગરી રાજાવાળી થાય.l૪૭ી. તે સાંભળીને તાલીએ વિચાર્યું કે કરાયેલું શુભાશુભ કર્મ સ્વયં જ ફલે છે. તેથી મારે નિયાણા વડે શું ! /૪૮ નહીં કરાયેલું આવતું થતો નથી અને કરેલાનો નાશ થતો નથી. તેથી આમના વચનો વડે કરેલા નિયાણા વડે મારે શું ? I૪૯ો ખેતીમાં ઘાસની જેમ સંસારના આ સુખોથી શું ? તેથી તપથી મોક્ષ વિના

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386