Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 282
________________ દોષની વિશુદ્ધિ ૨૫૯ પિંડ વિચાર કહ્યો. હમણાં શવ્યાશુદ્ધિને કહે છે. मूलुत्तरगुणसुद्धं, थीपसुपंडगविवज्जियं वसहिं । सेविज सव्वकालं, विवज्जए हुंति दोसा उ ।।१९।। (१३३) ગાથાર્થ : મૂલોત્તરગુણથી શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત વસતિને સર્વકાલ સેવવી જોઈએ. વળી વિપર્યયમાં (અર્થાત્ નિર્દોષવસતિના વર્જનમાં) દોષા થાય છે. ll૧૯ો (૧૩૩) ભાવાર્થ સુગમ છે. પરંતુ “મૂલુત્તર ગુણ શુદ્ધ” એટલે કે જેને વિષે પીઠ-ફલક વંશમૂલ-ખંભાદિ સાધુ માટે ન કરાય તે મૂલગુણ શુદ્ધ, જેને વિષે છાદન-લેપનાદિ સાધુ માટે ન કરાય તે ઉત્તરગુણ શુદ્ધ II૧૯ll , (૧૩૩) હવે વસ્ત્ર શુદ્ધિને કહે છે. *पिट्ठीवंसो दोधार-णाओ चत्तारि मूलवेलीओ । मूलगुणे हुववेया, एसा उ अहागडा वसही ।।२०।।१३४ ।। ગાથાર્થઃ પૃષ્ટિવંશ, બે ઉભા થાંભા, ૪ મૂળ વળીઓ - આ સાત (મકાનના આધારભૂત હોવાથી) હોય તે મૂલગુણોથી યુક્ત છે. બીજા માટે કરી હોય તે યથાકૃત વસતિ કહેવાય ૨.ll૧૩૪ો ભાવાર્થઃ વસતિમાં પૃષ્ટિવંશ એટલે લોકમાં મોભમાં મધ્યભાગમાં આડું રાખેલું લાકડું જે પ્રસિદ્ધ છે. જેના ઉપર પૃષ્ઠવંશ રાખવામાં આવે છે તે બે ઊભા થાંભા, એક થાંભાની બે બાજુ બે વળી અને બીજા થાંભાની બે બાજુ બે વળી આમ ચાર મૂલવળીઓ ચાર ખૂણામાં સ્થાપન કરાય છે. આ સાતે પણ મૂલગુણો છે તે સાધુ માટે બનાવ્યા હોય તે વસતિ મૂલગુણ યુક્ત છે, ‘તુ' શબ્દ એવકાર અર્થવાળો છે. સાધુ માટે બનાવેલી હોવાથી શુદ્ધ નથી, આધાર્મિકી જ છે. ઉત્તરગુણો બે પ્રકારે છે - મૂલઉત્તરગુણો અને ઉત્તરઉત્તરગુણો. તેમાં મૂલોત્તરગુણો : વંશક, કટન, અવલંબન, છાદન, લેપન, ધાર, ભૂમિ આ સાત જેમાં સાધુ માટે બનાવ્યા હોય તેવી વસતિ મૂલોત્તરગુણોમાં સપરિકર્મ છે અર્થાતું મૂલઉત્તર ગુણોથી અશુદ્ધ છે. અહીં વૃદ્ધોએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. “વંશક' એટલે ભીંત ઉપર આડા મૂકેલા દાંડા (વાંસડા), “કડણ' એટલે મકાનને ઢાંકવા દાંડા ઉપર નાંખેલી સાદડી (ચટાઈ), ‘ઘંવ' એટલે છત બાંધવા દાંડાઓને બાંધવા, છાય' એટલે ઘાસ વિગેરેથી ઢાંકવું, “સેવ' એટલે ભીંતો લીંપવી, ‘કુવાર' એટલે ઘરનું બારણું બનાવવું અથવા બારણાને મોટું બનાવવું, “ભૂમિ' એટલે ભોંયતળિયાની વિસમભૂમિને સમાન કરવો. આ સાત જેમાં સાધુ માટે બનાવ્યા હોય તેવી વસતિ ઉત્તરગુણોમાં પરિકર્મવાળી છે અર્થાતું મૂલઉત્તરગુણોથી અશુદ્ધ છે, એ પ્રમાણે અર્થ છે. અને આ પૃષ્ટિવંશાદિ ચૌદે પણ અવિશોધિકોટિ છે. (મૂલગુણોના ૭ અને મૂલોત્તરગુણોના ૭ એમ ૧૪) (અવિશુદ્ધિ કોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાંખવા છતાં તે મકાન નિર્દોષ ન થાય અને વિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાંખવાથી તે મકાન નિર્દોષ થાય.) વળી, આ ઉત્તરઉત્તરગુણે વિશોધિકોટિ છે. વસતિનો ઉપઘાત કરનારા વિશુદ્ધિકોટિ ઉત્તરઉત્તરગુણો આ છે :

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386