Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 10
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન 111111 Mઅgs સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યનન. જાતનું અધ્યયન. કોઈ પ્રશંસા કરે તો ભીતરમાં ગલીપચી થાય છે, એવી જ રીતે પ્રત્યેક ઘટના વેળાએ ભીતરમાં શું પ્રતિભાવ ઉઠે છે એનું કરીને અવલોકન એ સ્વાધ્યાય છે. માનવીનું અંતઃકરણ એ અધ્યયન કરવા યોગ્ય મહાગ્રંથ છે. અરે ! એ ગ્રંથાલય છે. પ્રશાંતચિત્તે અંતઃકરણમાં ઉઠતા ભાવ-પ્રતિભાવોનો અભ્યાસ થાય- ગહેરાઈથી આંતરભાવોનું અવલોકન થાય – તો એ સ્વાધ્યાય છે. એ આતરતા છે. પોતાની જાત વિશે પોતાને જે અમુક પ્રકારની ચોક્કસ માન્યતા રહેલી છે એ માન્યતા કેવી ભ્રાંત છે અને વાસ્તવિક પોતાની જાત કેવા કાળા-ધોળા રંગોથી ભરેલી છે. એનું ભાન અંતરમાં પ્રવર્તતા વિભિન્ન-વિભિન્ન ભાવો અવલોકવાથી મળે છે. આત્મવિશુદ્ધિની ખરેખરી ચાહના હોય તો પ્રથમ અંતરમાં પ્રવર્તતા અગણિત ભાવો – પ્રતિભાવોનું ઈમાનદારીથી નિરીક્ષણ – પરીક્ષણ કરવું ઘટે છે. પોતે પોતાની ખરી જાત ઓળખવામાં કેવી થાપ ખાધી છે એનું સચોટ ભાન ત્યારે થાય છે. જઈs માનવી બીજું કશું અધ્યયન ન કરે અને માત્ર કરીને પોતાની ભીતરીય જાનું જ અધ્યયન કરે તો તે એક એવું વિરાટ અધ્યયન છે કે એમાં જીંદગી આખી પણ ટુંકી પડે. ખરેખર કરવા જેવો સ્વાધ્યાય આ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 406