________________
સાધનાપથ
અને
આત્મજ્ઞાન
111111
Mઅgs
સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યનન. જાતનું અધ્યયન. કોઈ પ્રશંસા કરે તો ભીતરમાં ગલીપચી થાય છે, એવી જ રીતે પ્રત્યેક ઘટના વેળાએ ભીતરમાં શું પ્રતિભાવ ઉઠે છે એનું કરીને અવલોકન એ સ્વાધ્યાય છે.
માનવીનું અંતઃકરણ એ અધ્યયન કરવા યોગ્ય મહાગ્રંથ છે. અરે ! એ ગ્રંથાલય છે. પ્રશાંતચિત્તે અંતઃકરણમાં ઉઠતા ભાવ-પ્રતિભાવોનો અભ્યાસ થાય- ગહેરાઈથી આંતરભાવોનું અવલોકન થાય – તો એ સ્વાધ્યાય છે. એ આતરતા છે.
પોતાની જાત વિશે પોતાને જે અમુક પ્રકારની ચોક્કસ માન્યતા રહેલી છે એ માન્યતા કેવી ભ્રાંત છે અને વાસ્તવિક પોતાની જાત કેવા કાળા-ધોળા રંગોથી ભરેલી છે. એનું ભાન અંતરમાં પ્રવર્તતા વિભિન્ન-વિભિન્ન ભાવો અવલોકવાથી મળે છે.
આત્મવિશુદ્ધિની ખરેખરી ચાહના હોય તો પ્રથમ અંતરમાં પ્રવર્તતા અગણિત ભાવો – પ્રતિભાવોનું ઈમાનદારીથી નિરીક્ષણ – પરીક્ષણ કરવું ઘટે છે. પોતે પોતાની ખરી જાત ઓળખવામાં કેવી થાપ ખાધી છે એનું સચોટ ભાન ત્યારે થાય છે.
જઈs માનવી બીજું કશું અધ્યયન ન કરે અને માત્ર કરીને પોતાની ભીતરીય જાનું જ અધ્યયન કરે તો તે એક એવું વિરાટ અધ્યયન છે કે એમાં જીંદગી આખી પણ ટુંકી પડે. ખરેખર કરવા જેવો સ્વાધ્યાય આ
છે.