Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 10 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, છતાં શુ એનું અદભૂત સ્વરૂપ ! જાણે સાક્ષાત દેવી ! હમણાં બેલશે કે શું ? . : : : . “દેવ ! આપ જેવા પુરૂષોત્તમને પામીને જરૂર એ. દેવી થાઓ. આપની વાણી સત્ય થાઓ. ' , " ' “એ બધું શી રીતે બને? દત્તકુમાર ! આ બાળe. મને શી રીતે મળે?: શંખરાજાએ અધિરા થઈને પૂછ્યું: , , “દેવ ! શા માટે ન મલે? આપને જ યોગ્ય , આ. કન્યા છે. પોતાના ગુણવાન અને પરાક્રમી સ્વામીને છોડી આ કન્યા રત્ન બીજાને તે કોણ આપે ? આપજ એને. યોગ્ય છે દેવ ! દત્તની વાણી સાંભળી રાજાને સંતોષ થયો * દત્તની વાણુનો પરમાર્થ સમજનારા શંખરાજાના. પ્રધાને એક એકથી અધિક હતા. મહારાજ ! કૃપાનાથ! આ દત્તકુમાર તો અમારા કરતાંય અધિક છે. અમે તો. અહીંયાં રહ્યા રહ્યા સ્વામીનું કાર્ય કરીએ છીએ ત્યારે આ. દત્તકુમાર તો પરદેશમાં જઈને સ્વામીનું કાર્ય કરે છે.' મતિસાગર મંત્રીએ રાજાને કહ્યું. " “જે બીજાનું અહિત કરીને પોતાને સ્વાર્થ સર્વે છે તે તો અધમ કહેવાય છે. તેમજ જે પોતાનું અને પારકું બન્નેનું હિત સાધે છે તે મધ્યમ પુરૂષ કહેવાય છે, પણ ઉત્તમ જન તો તે જ કહેવાય કે જે પોતાના સ્વાર્થને. ભેગ આપીને અન્ય જનનું ભલું કરે છે. આ દત્તકુમારે પણ એ પરેપકારી અને ઉત્તમ જન છે કે જેમણે મહો. રાજનું કાર્ય સહેલાઇથી સિદ્ધ કર્યું. સુમતિ મંત્રી બે : “જગતમાં એ સામાન્ય બાબત છે કે નીચ પુરૂષે. વિધીનો ભય કલ્પી લઈને કાર્યનો આરંભ કરતા નથી, મધ્યમ પુરૂ કાર્ય આરંભ તે કરે પણ વચમાં અનેક વિઘો આડે આવતાં કાર્યને પડતું મુકી દે છે, ત્યારે દત્ત. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust