Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 14
________________ આચારની શુદ્ધિ થાય છે. પ્રતિકમણથી પંચાચારના અતિચારનું અપનયન થાય છે. પ્રતિક્રમણથી શેષ રહેલા જે અતિચાર તેનું કાયોત્સર્ગ કરીને અપનયન થાય છે. પ્રત્યાખ્યાનથી તપાચારની વિશુદ્ધિ કરાય છે, અને વીર્યાચારની વિશુદ્ધિ તે એ સઘળાથી થાય છે. એ પ્રમાણે આચરણ કરવા લાયક જે પાંચ આચાર તેની વિશુદ્ધિ એ પ્રતિકમણ કિયાને હેતુ છે. દેવસિ પ્રતિક્રમણમાં સૂર્ય અને અસ્ત થયેલ હોય તે સમયે વંદિતાસૂત્ર આવે એવી રીતે પ્રતિકમણની શરૂઆત કરવી અને પ્રતિક્રમણ કરી દશ પડિલેહણ કરી રહ્યા પછી સૂર્ય ઉગે એવી રીતે રાઈ પ્રતિક્રમણની શરૂઆત કરવી-એ પ્રમાણે પ્રતિક્રમણ કરવાને સમય ઉત્સર્ગ શાસ્ત્રકારોએ બતાજો છે. અપવાદથી તે દિવસના તૃતીય પ્રહરથી અર્ધ રાત્રિ સુધી દેવસિ પ્રતિક્રમણને સમય અને અર્ધ રાત્રિથી દિવસના એક પ્રહર સુધી રાઈ પ્રતિક્રમણને સમય કહ્યું છે. શાસ્ત્રની વૃત્તિમાં અપવાદે દિવસના મધ્યાન્હથી અર્ધરાત્રિ સમય સુધી દેવસિ પ્રતિકમણ અને મધ્ય રાત્રિથી દિવસના મધ્યભાગ સુધી રાઈ પ્રતિક્રમણ થઈ શકે એમ કહ્યું છે. પરંતુ આ સર્વે અપવાદમાર્ગ તે ખરેખરા કારણને આશ્રી છે. જેવા તેવા કારણને માટે અપવાદ માર્ગ ગ્રહણ કરી. રીતિ વિરૂદ્ધ કરવું એ યુક્ત નથી. ઉપર બતાવેલા સમયે શુદ્ધ વસ્ત્ર પહેરી શુદ્ધ સ્થળે કટાસણું પાથરી બેસવું. પછી વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને મૂળ દાતા થાય છે તેથી પ્રતિકમણની આદિમાં પણ * * દૂર થવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118