Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 78
________________ હવે પાક્ષિક પ્રતિક્રમણ તે દરેક ચતુર્દશીએ કરવું. શિષ્ય પ્રશ્ન કરે છે કે–દેવસી રાઈ પ્રતિકમણ દરરોજ કરવાથી શુદ્ધિ થયા છતાં ફરીને પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું શું કારણ? તેને ઉત્તર-સાધુ સૂક્ષ્મ અને બાદર અતિચારની વિશુદ્ધિને માટે નિરંતર દિવસ અને રાત્રિની પ્રાંતે પ્રતિક્રમણ કરતાં છતાં પણ પક્ષ, ચતુર્માસ અને સંવત્સરના અંતને વિષે વિશેષ પ્રકારે પ્રતિક્રમણ કરે છે, તે ઉત્તરીકરણ કરવાને અર્થે–દેવસી રાઈ પ્રતિક્રમણ કરતાં છતાં પણ રહેલ દોષનું નિવારણ કરવાને અર્થે સમજવું. જેમ તિલાદિકવડે શરીરસંસ્કારને કર્યા છતાં પણ ધૂપ, વિલેપન અને ભૂષણાદિકે કરીને વિશેષ શેબિત કરે છે તેમ અહિં પણ સાધુ વિશેષ શુદ્ધિ કરે છે એમ જાણવું. એ જ વાત દષ્ટાંતવડે સિદ્ધ કરે છે કે जह गेहं पइदिवसंपि, सोहियं तहवि पव्वसंधीसु । सोहिज्जइ संविसेसं, एवं इहयंपि नायव्वं ॥१॥ “જેમ ઘર પ્રતિદિવસે સાફ કરવામાં આવે છે તે પણ પર્વસંધિને વિષે એટલે પર્યાદિકને વિષે વિશેષ પ્રકારે–ચારે બાજુથી ખુણે ખેચરેથી સાફ કરવામાં આવે છે તેમ અહીં પણ જાણું લેવું.” વળી નિત્ય પ્રતિક્રમણ કરતાં કેઈક અતિચાર વિસ્મત થઈ ગયેલ હોય, કદિ સાંભર્યો હોય પણ ભયાદિકથી ગુરુ સમક્ષ પ્રતિકભ્ય ન હોય અથવા પરિણામની મંદતાથી સમ્યક્ પ્રકારે પ્રતિકમેલ ન હોય તેવા અતિચારને પ્રતિકમવા માટે પાક્ષિકાદિક પ્રતિક્રમણ કરવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118