Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 96
________________ પામે.” આ વખતે પૂર્વોક્ત લેક પણ કહ્યું એટલે તે સુભટે પાછા વળ્યા અને પરસૈન્યમાં ભંગાણું પાડીને તેને હઠાડયું. તેના સ્વામી રાજાએ તેમનું સન્માન કર્યું અને તેઓ શોભાને પામ્યા.” આવા પ્રસંગ ઉપર કહેવાએલી પૂર્વોક્ત ગાથાને સાંભળીને જતા રહેવાને ઇચ્છતા સાધુએ વિચાર કર્યો કે–રણસંગ્રામને સ્થાનકે તે પ્રવર્યા છે અને તેમાંથી કાયર થઈને ભાગેલા સુભટને સ્થાનકે હું છું. તે મને જ્યારે જ રહે જાણશે ત્યારે પાછળથી “એ તે ભ્રષ્ટ થયે” એમ મારાથી ઓછા ગુણવાળા મુનિએ. પણ મને કહેશે. આ પ્રમાણે વિચારીને તે મુનિ પાછા વળ્યા અને વિશેષ પ્રકારે ધર્મને વિષે દઢ થઈ, આળેઈ પ્રતિકમીને ગુરૂ મહારાજની બહુશ્રુત કરવાની ઈચ્છાને પૂર્ણ કરી, અર્થાત્ બહુશ્રુત થયા. આ પ્રમાણે જેઓ સાવદ્ય કાર્ય કરીને અથવા વૃતાદિકમાં અતિચાર લગાડીને પણ તેને પ્રતિકમે છે અર્થાત્ પાછા નિવૃત્ત થાય છે તેઓ સુખને ભેગવે છે. ઈતિ પંચમ દષ્ટાંત. ૬ હવે નિંદા–આત્માની સાક્ષીએ પોતાના આત્માની કુત્સા તે પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. પ્રશસ્ત તે અસંયમાદિ આચરણની નિંદા અને અપ્રશસ્ત તે સંયમાદિ આચરણની નિંદા જાણવી. “હા ઇતિખેદે! મેં દુર્ણ કાર્ય કર્યું, દુષ્ટ કાર્ય કરાવ્યું, દુષ્ટ કાર્યની અનુમોદના કરી.” આ પ્રમાણે વનના દવમાં બળતા વૃક્ષની જેમ અંતઃકરણમાં દાઝયા કરે તેનું નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118