Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 99
________________ તે ફરીને ઘણે મહીને પાછું ભાગ્યમાં હશે તે રાજાનું મેટું દેખશું. માટે કઈ રીતે રાજા મારે ત્યાંજ દરરોજ રાત્રીવાસે રહેવા આવ્યા કરે તેમ કરવું.” આમ વિચારીને એક ડાહી દાસીને તેણે કહી રાખ્યું કે જ્યારે રાજા સુએ ત્યારે તેમના નિદ્રાવશ થયા અગાઉ તારે મારી પાસે આવીને મને કહેવું કે “હે સ્વામિની! જ્યાં સુધી તમને નિદ્રા ન આવે ત્યાં સુધીમાં કેઈક વાર કહે.” પછી હું કહીશ. આ પ્રમાણે બધું સમજાવી રાખ્યું. પ્રથમ રાત્રીએ દાસીએ તે પ્રમાણે જ કથા કહેવાની વિનંતી કરી એટલે ચિત્રકાર પુત્રી બેલી. એક કેઈ કુળપુત્રને એક પુત્રી હતી, તે યૌવનાવસ્થા પામી એટલે તેને વર શોધવાની ઈચ્છાવાળા તેના પિતા, તેની માતા તથા તેને ભાઈ ત્રણે જણ કન્યા આપવાનું કહીને જુદા જુદા એકેક વરને લાવ્યા. એમ ત્રણ વર આવ્યા એટલે હવે કેને કન્યા આપવી? તેને વિચાર થઇ પડશે. એટલામાં કન્યાને સર્ષે ડશી. અનેક ઉપચાર કર્યા પણ ઝેર ન ઉતરવાથી તે મરણ પામી. એટલે એક વાર તે તેની સાથે બળી મુએ, એક તપ સ્યા કરતે તેજ સ્થાનકે રહ્યો, ત્રીજાએ કેઈ દેવતાનું આરાધન કરીને સંજીવન મંત્ર મેળવ્યું અને તે મંત્ર પ્રગવડે તેને જીવાડી. સાથે બળી મરેલ વર પણ સાથે જીવતે થયે. પાછા ત્રણે જણે તેને માટે તકરાર કરવા મંડયા. તે દાસી! કહે હવે તે કન્યા ક્યા વરને આપવી. દાસી બેલી. “હે દેવી! હું તેમાં કાંઈ જાણી શકતી નથી માટે તમે જ કહે.” રાણીએ કહ્યું, “આજ તે હવે મને નિદ્રા આવે છે તેથી કાલે કહીશ.” રાજાએ તેને ઉત્તર જાણ* વાની ઈચ્છાથી બીજે દિવસે પણ તેને જ વારે આવે. રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118