Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 110
________________ જેટલાં પુલ પાટલાં જેવાં હોય જે દરેક કુલે ના ૧૦૧ મુનિરાજે અતિચારની વિશુદ્ધિ કરવી તે માળીનું દષ્ટાંત બતાવીને પ્રતિપાદન કરે છે – જેમ માળી સવારે ને સાંજે દરેક પુલે જુએ છે, અને પછી તેમાંથી ચુંટવાં જેવાં હોય છે તે ચુંટે છે. તેમાંથી પછી જેટલાં પુલે વિકાશ પામેલાં હોય છે તે જુદા પાડે છે, તેને ગુંથે છે અને પછી તે વેચે છે. વેચવામાં લાભ પ્રાપ્ત થવાથી તેનું મન પ્રસન્ન થાય છે. જે માળી એ પ્રમાણે દરરોજ બંને ટક કરતું નથી તેને લાભ થતું નથી. તે જ પ્રમાણે સાધુ પણ સંધ્યા પ્રતિકમણમાં કાર્યોત્સર્ગમાં રહ્યા સતા પ્રભાતની પડિ. લેહણથી પ્રારંભીને આખા દિવસમાં લાગેલા અતિસાર દેશનું ચિંતવન કરે-જુએ, પછી તેનું આકુંચન કરે, એટલે થયેલા અપ રાધને ગ્રહણ કરે, ત્યાર પછી તેનું વિકટીકરણ કરે એટલે નાના મેટા અપરાધ તેમજ પહેલાના પછીના અપરાધ જુદા પાડે, પછી તેને આસેવનના પ્રકાર વડે ગુંથે-શ્રેણીબંધ મનમાં ગોઠવે. પછી તે અપરાધ ગુરૂ સમક્ષ નિવેદન કરે અને ગુરૂ મહારાજ જે પ્રાયશ્ચિત આપે તે ગ્રહણ કરે. આ પ્રમાણે કરવાથી ભાવ શુદ્ધિ થાય. અને એ પ્રમાણે ગુરૂ સમક્ષ આલોચના કરવાથી મેક્ષ માર્ગની આરાધના થાય. ન આલેચવાથી આરાધના થાય કિંવા ન થાય. એ પ્રમાણે આલેચના કરવા સારૂ સમ્યફ પ્રકારે ઉપસ્થિત થઈને ગુરૂ સમિપે જતાં મધ્ય સમયમાં કાળ કરે તે પણ તે આરાધક થાય. અને ઋદ્ધિ વિગેરે ગારવથી અથવા પિતાને ૧ આ પ્રમાણે દરેક પ્રતિક્રમણમાં સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118