Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 106
________________ દિવસે તે કાગડાથી બીહે છે અને રાત્રે નર્મદા નદી તરે છે, માઠા કિનારા જાણે છે અને જળજંતુની આંખ ઢાંકવાના પ્રકારને પણ સમજે છે.” તે કુલટા સ્ત્રી બેલી કે-શું કરૂં અહીં તે તારી જેવા છાત્ર છે તે મને ચહાતા નથી.” આ પ્રમાણે વાત કરતાં તે બંને પાપકર્મમાં લપટાયા. એક દિવસ છાત્રે કહ્યું કે “મને બીજી તે કાંઈ અડચણ નથી પણ હું અધ્યાપકથી લજજા પામું છું. સ્ત્રીએ વિચાર્યું કે “અધ્યાપકને મારી નાખું જેથી આ છાત્ર મારે ભર્તર થાય. આ પ્રમાણે વિચારી પિતાના પતિને મારી નાંખી પેટીમાં લઈને અટવીમાં મૂકી દેવા ચાલી. કેઈ વ્યંતરીએ તેના પાપકર્મથી કપાયમાન થઈને પેટી તેના માથા ઉપર સ્થિર કરી દીધી. જેથી ઘણી મહેનત કરતાં પણ છૂટી પડી નહીં. એવી સ્થિતિમાં તે વનમાં ભટકવા લાગી. પેટીમાંથી માંસ ગળી ગળીને માથા ઉપર પડવા માંડયું અને ક્ષુધાએ કરીને પીડાવા લાગી. આ પ્રમાણે અસહ્ય દુઃખથી પીડીત થઈ સતી તે સ્ત્રી ઘરે ઘરે ભટકવા લાગી અને પિતાના ચરિત્રને પ્રકાશ કરતી “પતિને મારનારીને ભિક્ષા આપે એમ બેલતી ભિક્ષા માગવા લાગી. એ પ્રમાણે બહુ કાળ વ્યતિત થયે. એકદા કેઈ સાવીને નમસ્કાર કરવા માટે નીચી વળવા ગઈ એટલે પિટી છૂટી પડી ગઈ. તે સ્ત્રી સંસારથી બહુજ ખેદ પામેલી હોવાથી તે સાધ્વીજી પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે દરેક પ્રાણીએ પિતાનાં પાપની પર સાક્ષીએ ગહ-નિંદા કરવી. ઇતિસમ પર્યાયે પતિમારિકા દષ્ટાંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118