Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 77
________________ માગવાને તાત્પર્ય એ છે કે-મુનિએ સર્વ કાર્ય ગુરૂ મહારાજાને પુછીને કરવા ગ્ય છે, તેથી આખા દિવસમાં નાના નાના દરેક કાર્યોમાં વારંવાર પુછવાનું બનવું અશક્ય હેવાથી એ પ્રમાણેના બે ખમાસમણ દઈને તે તે લઘુ કાર્ય કરવા સંબંધી શ્રી ગુરૂ મહારાજાની અનુમતિ મેળવી રાખે છે. બહુ વેળા સંભવિત કાર્યોને માટે આજ્ઞા માગવાની હોવાથી વર્જરિ તામિ એમ બોલવાનું છે. આ સિવાય બીજું પણ યથાગમ પ્રમાણ વિચારી લેવું. કહ્યું છે કે “કૃત્યાકૃત્યને ગુરૂ મહારાજાજ જાણે છે તેથી, તેમજ વિનય પ્રતિપત્તિને માટે તેમને પૂછવા શિવાય શ્વાસ મૂકવા લેવાનું પણ પ્રતિષેધ કરેલું છે.” પૂર્વોક્ત વિધિ અને હેતુ પ્રમાણે પચ્ચખાણ કર્યા પછી વિશાળચન કહી ચાર સ્તુતિવડે વિસ્તર દેવવંદન કર્યા પછી ચાર ખમાસમણ વડે શ્રી ગુર્નાદિકને વંદન કરે અને શ્રાવક અઠ્ઠાઈજજેસુ બોલે. ત્યાર પછી શ્રી વિહરમાન જિનનું અને શ્રી સિદ્ધાચળનું ચૈત્યવંદન કરવાનું પ્રવર્તન છે તે સમાચાર પ્રમાણે સમજવું. તેમ જ સામાયકની બે ઘડીને કાળ સંપૂર્ણ કરવા માટે પણ જાણવું. એ પ્રમાણે પ્રતિક્રમણ કરી રહ્યા પછી મુનિ પ્રતિલેખના કરે તેની વિધિ પ્રગટ છે. આ પ્રતિકમણને વિષે પણ પંચવિધ આચારની વિશુદ્ધિ પૂર્વવત્ સમજી લેવી. ઈતિ રાત્રિક પ્રતિકમણ કમ વિધિ. ૯૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118