Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 47
________________ લ૮ એટલે તેના અગ્ર ભાગે રહેલા હુમુલ દુલ નામના બે સૈનિકેમાંથી સુમુખે પ્રસન્નચંદ્ર રાજર્ષિને નમસ્કાર કર્યો અને તેની પ્રશંસા કરી. દુખે કહ્યું કે “એમની પ્રશંસા કરવા ગ્ય નથી, એઓએ તે નાના બાળક પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી છે; પાછળ તેને મંત્રી રાજપુત્રને મારીને રાજ્ય લઈ લેવા તૈયાર થયે છે માટે પુત્રની પણ દયા ન ચિંતવનારની પ્રશંસા શું કરવી?” આવાં કટક વચનથી રાજર્ષિ ધ્યાનભંગ થયા. દુર્ગાને ચડયા અને પિતાના વિશ્વાસઘાતી પ્રધાનની સામે અધ્યવસાયવડે યુદ્ધ કરવા લાગ્યા. સૈનિકની પાછળ શ્રેણિકરાજા આવ્યા તેમણે નમસ્કાર કર્યો અને પછી ભગવંત પાસે જઈને “પ્રસન્નચંદ્ર રાજર્ષિ પિતાના નમસ્કાર સમયે કાળ કરે તે કયાં ઉત્પન્ન થાય?” એવું ગતિ સંબંધી પ્રશ્ન કર્યું. ભગવતે નરક ગતિ કહી. સાતમી નરક પર્યંત કહ્યું. ફરીને પૂછતાં યાવત્ સર્વાર્થ સિદ્ધની ગતિ કહી. તેટલામાં તે દેવદંભી વાગી અને પ્રસન્નચંદ્રરાજર્ષિ કેવળજ્ઞાન પામ્યા. શ્રેણિક રાજાએ આશ્ચર્ય પામવાથી તેનું કારણ પૂછયું. ભગવતે પૂવૉક્ત અધ્યવસાય યુદ્ધનું કારણ કહી બતાવ્યું. છેવટે કહ્યું કે-“અનુક્રમે યુદ્ધ કરતાં કરતાં શસ્ત્રો ખુટી જવાથી માથાને ટોપ લઈને મારવા મસ્તક ઉપર હાથ મૂકી, ત્યાં મુંડીત મસ્તક જાણું પિતાના માઠા અધ્યવસાય માટે બહુજ પશ્ચાત્તાપ કરી પાછા શુભ ધ્યાને ચડ્યા. પુત્ર કેને? રાજ્ય કેનું? મંત્રી કેને? આ પ્રમાણે એકત્વ અને અન્યત્વ ભાવનાએ ચડ્યા અને તિવ્ર શુભ ધ્યાનવડે પૂર્વ સંચિત સમગ્ર પાપ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.” આ પ્રમાણે ભગવંતે કહી સંભળાવ્યું. અહીંયાં સમજવાનું એ છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118