Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 72
________________ તે દુરસ્વમ જાણવું. સ્ત્રીને અનુરાગવડે સ્વમમાં જોઈ હોય તે તે દષ્ટિ વિપર્યાસ કહેવાય, તે નિમિત્તે ૧૦૦ શ્વાસેચ્છવાસ પ્રમાણ કાર્યોત્સર્ગ કર અને સ્વમમાં અબ્રહ્મનું આસેવન કર્યું હોય તે સ્ત્રી વિપર્યાસ કહીએ તે નિમિત્તે ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ ઉસ્સગ્ન કરે. આ હકીકત સ્ત્રીસંગ વિરહીત એવા મુનિરાજને માટે જાણવી. આ કાત્સર્ગ સ્વમાદિ થકી ઉત્પન્ન થયેલા પાતકની શુદ્ધિને અર્થે પ્રાયશ્ચિત્તરૂપ હોવાથી રાત્રીક આવશ્યક (રાઈપ્રતિક્રમણ) થકી ભિન્ન જાણુ. ત્યાર પછી સર્વ ધર્માનુષ્ઠાન શ્રીદેવગુરૂ વંદન પૂર્વક કરે તે સફળ છે, માટે પ્રથમ ચિત્યવંદન (જગચિંતામણિનું જયવિયરાય પર્યત) કરે અને પછી સ્વાધ્યાય કાયોત્સર્ગાદિક ધર્મવ્યાપારમાં જ્યાં સુધી પ્રભાતિક પ્રતિક્રમણને યથાક્ત સમય થાય ત્યાં સુધી પ્રવર્તે. જ્યારે બરાબર સમય થાય ત્યારે ચાર ખમાસમણવડે શ્રી ગુર્નાદિકને વંદન કરીને ખમાસમણ પૂર્વક સાથ હિજામ રાઉટ ઈત્યાદિ વચનવડે આદેશ માગીને વર્ષાવિ સાથ૦ ઈત્યાદિ સકળ ત્રિક અતિચારના બીજકભૂત સૂત્ર કહે અને પછી શકતવ બોલે. ૧ અહીં સ્વાધ્યાયની પછી ચાર ખમાસમણવડે ગુર્વાદિવંદન કર્યું તે હાલમાં સ્વાધ્યાય અગાઉ કરવાનું પ્રવર્તન છે. સ્વાધ્યાય કર્યા પછી સુખ શાતા પૃચ્છા બોલવાનું હાલમાં પ્રવર્તન છે તે આમાં નથી કહ્યું અને પ્રતિક્રમણની સ્થાપનાના પ્રારંભમાં આદેશ માગવા માટે આમાં ખમાસમણ દેવાનું કહ્યું છે તે પ્રવર્તન હાલમાં નથી, એ સઘળું સમાચારી પરંપરાદિકને અનુસારે સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118