Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 46
________________ સઘળા અતિચાર આળવવા વડે અતિચારરૂપ ભારથી નિવૃત્ત થવાથી હળવે થયે સતે ઉઠે અને મુનિ પણ તેજ કારણથી ઉભા થઇ શમણુસૂત્ર પૂરું કરે. શ્રાવક વંદિત્તાસૂત્ર સંપૂર્ણ કરે. ભારથી હળવા થયાના સંબંધમાં શ્રાદ્ધ તિર્મસૂત્રમાં જ કહેલું છે કે कयपावोवि मणुस्सो, आलोइय निंदिय गुरुसगासे । होइ अइरेग लहुओ, ओहरिय भरुव भारवहो ।। અર્થ—“ કર્યું છે પાપ જેણે એ મનુષ્ય પણ ગુરૂમહારાજની સમીપે તે પાપને આવવા નિંદવાથકી–-ભાર વહન કરનારની ઉપરથી ભાર લઈ લેવાથી જેમ તે હલકે થાય છે તેમ અત્યંત હલકે થાય છે.” હવે પાપકર્મના મૂળ ચાર ભેદ છે ૧ સ્પષ્ટ ૨ બદ્ધ ૩ નિધન અને 8 નિકાચિત. તે ચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ જેમ સોયને ઢગલે કર્યો હોય તે સોયે જ્યાં સુધી હસ્તાદિ કાંઈ લાગતું નથી ત્યાં સુધી પરસ્પર સ્પર્શ કરીને રહે છે પણ હાથ વિગેરે લાગવાથી જુદી જુદી થઈ જાય છે, તેમ જે કર્મ ઉપગવાળા પ્રાણીને પણ સહસાકારે બંધાયું હોય છે તે નિંદા ગઈ કરવા થકી નાશ પામે છે, તેને પૃષ્ટ પાપકર્મ જાણવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ, પ્રસન્નચંદ્ર રાજા દિક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી રાજગ્રહી નગરીની બહાર કાર્યોત્સર્ગી રહ્યા છે અને ભગવંત શ્રી મદ્દાવર સ્વામી ત્યાં સમવસર્યા છે. તેમને વંદન કરવા માટે શ્રે ષા સૈન્ય સહિત જાય છે. રસ્તામાં જ્યાં મુનિ ઉભા છે ત્યાં સૈન્ય આવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118