Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 58
________________ ૪૯ તે કરવા યુક્ત નથી. ઉત્તર-પુર્વધરાદિકના કાળને વિષે પણ એ કાર્યોત્સર્ગના કિયમાણપણને સંભવ હોવાથી તારું કહેવું યુક્ત નથી. શ્રી માવઠ્યા સૂત્ર ની લઘુવૃત્તિ, બૃહદવૃત્તિ, ચૂણી, ભાષ્ય, પાક્ષિકસૂત્ર તથા પ્રવચનસારે દ્વારાદિને વિષે મૃતદેવતાદિકના કાયોત્સર્ગ કહેલા છે. શ્રી આવશ્યક બહવૃત્તિના પ્રારંભમાં શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કાર કરે છે તે ગાથા આ પ્રમાણે છે प्रणिपत्य जिनवरेंद्र, वीरं श्रुतदेवतां गुरुन् साधून् । आवश्यकस्य विकृति, गुरुपदेशादहं वक्ष्ये ॥ १॥ શ્રી પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે- आयरणा सुअदेवयमाइणं होइ उस्सग्गो । શ્રી વીરભગવતના નિર્વાણ પછી હજાર વર્ષ પૂર્વ વ્યવચ્છેદ પામ્યા અને શ્રી હરિભદ્રસૂરિ ત્યાર પછી પંચાવન વર્ષે સ્વર્ગ ગયા છે. એમણે પિતાના મંગળાચરણમાં શ્રુતદેવતાને નમસ્કાર કરે છે તેથી તે પ્રકારની આચરણને સંભવ ગ્રંથકરણકાળની અગાઉ પણ હવે જોઈએ એટલે પૂર્વધરના સમયને વિષે પણ શ્રુતદેવતાદિકના કાર્યોત્સર્ગને સંભવ છે, અને તેથી તે કરવા ગ્ય છે. ત્યારપછી નમસ્કાર (નવકાર) ભણન પૂર્વક સંડાસા પ્રમાઈને બેસે. બેસીને પૂર્વે કહેલી વિધિ પ્રમાણે મુખવઐીકા પડિલેહીને ગુરૂ મહારાજાને દ્વાદશાવર્ત વંદન બે વાંદણાવડે કરે. આ વંદન, શ્રી ગુરૂમહારાજની આજ્ઞા પૂર્વક કર્યું છે આવશ્યક જેણે એવા શિષ્ય “મેં આપની આજ્ઞા યુક્ત પ્રતિક્રમણ કર્યું એમ નિવેદન કરવા નિમિત્તે છે. લેકીકને વિષે પણ રાજાદિકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118