Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 66
________________ ૫૭ જાણવું. સડ્ડાયધ્યાનની પુષ્ટિને સંબંધે શાસ્ત્રકાર કહે છે કેबारस्स विमिवि तवे, सम्भितर बाहिरे कुसलदिट्टे | नवि अयि नवि अ होही, सझायसमं तवोकम्मं ॥१॥ “આર પ્રકારના સર્વજ્ઞ કથિત બાહ્ય અત્યંતર તપને વિષે સઙ્ગીય તપ સમાન બીજો છે નહીં અને હાશે પણ નહીં.” હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે-પાંચે પ્રકારના આચારની વિશુદ્ધિને માટે પ્રતિક્રમણ છે એમ પૂર્વે કહ્યું છે અને આમાં તે ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચાર એ ત્રણ આચારની શુદ્ધિજ દરેક સ્થાને કરી છે; તપાચાર અને વિર્યાચારની શુદ્ધિ કાંઈ કહી નથી માટે તે એ આચારની શુદ્ધિ પ્રતિક્રમણમાં શી રીતે થાય છે? ગુરૂમહારાજ ઉત્તર આપે છે કે-એ એ આચારની શુદ્ધિ જ્ઞાનાચારાદિકના અંતરમાંજ પ્રતિપાદન કરેલી છે. પ્રથમ સાંયકાળે કર્યું છે ચોવિહારનું પચ્ચખ્ખાણ જેણે એવા મુનિને, તેમજ કર્યું છે યથાશક્તિ દુવિહાર, તીવિહાર, ચૌવિહારનું પચ્ચખ્ખાણુ જેણે એવા શ્રાવકનેજ પ્રતિક્રમણ થાય છે. પ્રભાતના પકિમજીમાં પણ છ માસ તપથી માંડીને યથાશક્તિ તપ કરવાનું પ્રત્યાખ્યાન કરવામાં આવ છે. એ બાહ્યતપની શુદ્ધિ થઈ અને અત્યંતર તપ તા કાર્યાત્સર્ગ સ્વાધ્યાયાદિ રૂપ પ્રતિક્રમણમાં પ્રત્યક્ષ છે. એ પ્રમાણે પ્રગટપણે તપાચારની શુદ્ધિ તા થાય છે. અને યથાવિધિ યથાશક્તિ પ્રતિક્રમણ કરતા સતા વિર્યાચારની શુદ્ધિ પણ પ્રગટજ છે. પૂર્વે પ્રારંભની ગાથામાં જે જે પ્રકારે પાંચે આચારની શુદ્ધિ કરવાનું કહેલું છે તે પ્રમાણે પાંચે આચારની વિશુદ્ધિ થાય છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118