Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 41
________________ ૩૨ મેલ વગેરેનું કાઢવું, બેસવું, ઉઠવું, બગાસું ખાવું, શરીર પ્રસારવું અથવા સંકેચવું, ઉશ્વાસ નિઃશ્વાસ લેવે વિગેરે ક્રિયાની આલોચના કરવી નહિ. કારણ કે સૂત્રની પ્રવૃત્તિ એવી છે માટે. એ વિધિવાળાની બીજી રીતે આલેચના વિના પણ શુદ્ધિ જ છે. આ ઠેકાણે કેઈના મનમાં એવી આશંકા આવે કે “ યક્ત વિધિએ કરેલા કૃત્યને માટે પણ આલેચના પ્રાયશ્ચિત્ત લેવું પડે તે કાંઈ પણ કરવું જ નહિ અને વ્રત લઈને અનશન જ કરવું એ ઉત્તમ છે. એવી આશંકા કરનારે સમજવું કે સૂત્રકારની એવી આજ્ઞા નથી, કારણ કે એ પ્રમાણે વર્તતાં તે તીર્થને ઉછેદ થઈ જાય, અને કઈ કઈને બેધ કરે નહિ અથવા કેઈ કેઈથી બંધ પામે પણ નહિ. જેમ મલીનતાની શંકાથી કેાઈ માણસ વસ્ત્ર જ પહેરે નહિ તે વસ્ત્ર રહિત ફરવાથી તે પશુ તૂલ્ય ગણાય તેમ ચારિત્રને વિષે પણ આલેચનાની શંકાથી ક્રિયા કરે નહીં તે પશુત્વાપત્તિ થાય. જેમ વસ્ત્ર પહેરવાં અને તે મલીન થાય તે તેને જળવડે નિર્મળ કરવાં એ ઉત્તમ છે તેમ ચારિત્રને વિષે પણ કરવા એગ્ય ક્રિયા કરવી અને તે કરવામાં લાગેલા અતિચારરૂપ મેલને આલોચના પ્રાયશ્ચિત્તરૂપ જળવડે સાફ કરે એ જ ઉત્તમ છે. ૨ ઈર્યાસમિતિ વગેરેમાં સહસાકાર અને અનાગથી, માર્ગમાં વાત કર્યાથી અને ગૃહસ્થ ભાષા બોલવાથી–વિગેરે પ્રમાદે કરીને જે દોષ લાગ્યા હોય તેને માટે મિથ્યાદુકૃત દેવું એ પ્રતિમા પ્રાથશ્ચિત્ત. ૩ ઇંદ્રિયેના શબ્દાદિ વિષયને અનુભવીને કોઈને શંકા થાય કે શબ્દાદિ વિષયમાં મને રાગદ્વેષ થયે હતું કે નહિ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118